Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સલવાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માસિક સ્‍વરછતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપી પોતાની સુરક્ષા માટે કેવા પ્રકારની કાળજી લઈ શકાય તેમજ કિશોરાવસ્‍થા દરમિયાન માસિક ધર્મ સમયે સ્‍વચ્‍છતા જાળવવા માટે સ્‍વચ્‍છ નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ જેથી અનેક રોગોથી બચી શકાય છે જેવી ધ્‍યાનમાં રાખવા જેવી બાબતો વિશેપણ માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ની તમામ વિદ્યાર્થીનીઓને શાળાની શિક્ષિકાઓ ગીતાબેન ચૌધરી, પ્રિયંકાબેન પરમાર, નેહલ પટેલ, માનસી કેવત, નમ્રતા ડાકે, અદિતિ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓના મૂંઝવતા પ્રશ્નો સાંભળી યોગ્‍ય પ્રત્‍યુત્તર આપી તેમજ આવશ્‍યક સૂચનો આપી માહિતી અને સમજણ પૂરી પાડવામાં આવી હતી.

Related posts

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment