Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સલવાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માસિક સ્‍વરછતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપી પોતાની સુરક્ષા માટે કેવા પ્રકારની કાળજી લઈ શકાય તેમજ કિશોરાવસ્‍થા દરમિયાન માસિક ધર્મ સમયે સ્‍વચ્‍છતા જાળવવા માટે સ્‍વચ્‍છ નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ જેથી અનેક રોગોથી બચી શકાય છે જેવી ધ્‍યાનમાં રાખવા જેવી બાબતો વિશેપણ માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ની તમામ વિદ્યાર્થીનીઓને શાળાની શિક્ષિકાઓ ગીતાબેન ચૌધરી, પ્રિયંકાબેન પરમાર, નેહલ પટેલ, માનસી કેવત, નમ્રતા ડાકે, અદિતિ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓના મૂંઝવતા પ્રશ્નો સાંભળી યોગ્‍ય પ્રત્‍યુત્તર આપી તેમજ આવશ્‍યક સૂચનો આપી માહિતી અને સમજણ પૂરી પાડવામાં આવી હતી.

Related posts

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

Leave a Comment