June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં 1971ના ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં ફૌજી તરીકે લડનારા શ્રી અમ્રતભાઈ કે. રાઠોડનું તેમના ઘરે જઈ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક શ્રી અમ્રતભાઈ કે. રાઠોડની તબિયત નાદુરસ્‍ત હોવાના કારણે તેઓ સવારે કાર્યક્રમ સ્‍થળ સુધી પહોંચી નહીં શક્‍યા હતા. જેની નોંધ લઈ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ ફૌજીના ઘરે પહોંચી તેમનું આદર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સરપંચ શ્રી દ્વારા શાલ ઓઢાડી સ્‍મૃતિ પત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમના તંદુરસ્‍ત નિરોગી જીવનની કામના પણ કરી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, શ્રી રોહિત ગોહિલ વગેરે જોડાયા હતા.

Related posts

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના હસ્‍તે વાંસદા વિધાનસભાના કાવડેજ અને ખાંભલા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah

Leave a Comment