Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્‍પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

સંઘપ્રદેશની આદિવાસી વિદ્યાર્થીઓએ તારપા લોકનૃત્‍યથી કર્યા સૌને મંત્રમુગ્‍ધ

સેલવાસ, તા.11
આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની મનમોહક ઉજવણી સાથે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સેલવાસનું કેમ્‍પસ સાંસ્‍કૃતિક ઉલ્લાસથી ગુંજી ઉઠયું હતું. આ પ્રદેશની જીવંત આદિવાસી સંસ્‍કૃતિઓને સન્‍માનિત કરવા અને તેનું પ્રદર્શન કરવાના ઉદ્દેશ્‍યથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશની જ મૂળ આદિવાસી વિદ્યાર્થીનીઓ, સુરેખા અને ઉશીએ તેમના સહયોગીઓ સાથે મંત્રમુગ્‍ધ કરતું પ્રાચીન તારપા લોકનૃત્‍ય રજૂ કર્યું હતું, જે આજની ઉજવણીની ખાસ વિશેષતા હતી. ઉત્‍સાહી હલનચલન સાથે તારપા નૃત્‍યના લયબદ્ધ ધબકારા દ્વારા આદિવાસી સમુદાયની જમીન, પરંપરાઓ અને સ્‍થિતિસ્‍થાપકતાની વાર્તાઓ રજૂ થઈ હતી. આ નૃત્‍ય પ્રદર્શને પ્રદેશના સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસાની યાદ અપાવી હતી.
ઉજવણીમાં અભિવ્‍યક્‍તિના વિવિધ માધ્‍યમોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તેમાં આત્‍માને ઝંઝોળતા ગીતો હતા તો સાથે સાથે વિચાર પ્રેરક ભાષણો અને જીવંત નૃત્‍યો પણ રજૂ થયા હતા. ભાષણોએ આદિવાસી સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડયો હતો અનેતેમની અનન્‍ય જીવનશૈલીને જાળવી રાખવાના મહત્‍વ પર ભાર મૂક્‍યો હતો.
આ ઉજવણીએ આદિવાસી વિદ્યાર્થીઓને તેમના વારસાને ગર્વથી દર્શાવવા માટે એક મંચ પ્રદાન કર્યો હતો અને અન્‍ય વિદ્યાર્થીઓને પણ આદિવાસી સમુદાયના અમૂલ્‍ય યોગદાનની સમજ મેળવવાની તક પૂરી પાડી હતી. વધુ સમાવિષ્ટ અને સાંસ્‍કૃતિક રીતે જાગૃત સમાજ બનાવવાની દિશામાં આ એક પ્રેરણાદાયી પગલું હતું.
આ સાંસ્‍કૃતિક મિજબાનીમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો અને સ્‍ટાફના સભ્‍યો એકઠા થયા હતા.

Related posts

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment