September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

એસ.એસ.આર. કોલેજમાં પણ પોલીસની ટીમે કરેલું સર્ચ ઓપરેશનઃ દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં દિન-પ્રતિદિન ઉમેરાતું રહસ્‍ય

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મહત્‍વના સંવેદનશીલ દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં અત્‍યાર સુધી ધરપકડ કરાયેલા 7 આરોપીઓને કોઈ રાહત મળતી દેખાતી નથી. આજે નામદાર કોર્ટે કેટલાક આરોપીઓની જામીન અરજી રિજેક્‍ટ કરી હતી જ્‍યારે કેટલાકનો ચુકાદો સુરક્ષિત રખાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સરકાર દ્વારા નિયુક્‍ત વહીવટદાર શ્રી ભાવેશ પટેલે સેલવાસ આદિવાસી ભવન ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે સાંસદશ્રીના પી.એ. ગૌરાંગ કનકસિંહ સુરમા, ઈસ્‍માઈલ અલી શેખ, ગોવિંદભાઈ પાડવી, કમલેશ રવિયા પટેલ, મનોજ સોની સહિત 7ની ધરપકડ કરી પોલીસ રિમાન્‍ડ દરમિયાન પૂછપરછ પણ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેટલાક આરોપીઓએ આપેલી સંગીન અને મહત્‍વપૂર્ણ માહિતીના આધારે પોલીસે સર્ચ વોરંટના આધારે સાંસદશ્રીના નિવાસ સ્‍થાન અને વાડીમાં પણ સર્ચ ઓપરેશન કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પોલીસે એસ.એસ.આર. કોલેજમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરી ત્‍યાં કાર્યરત અધિકારી અને કર્મચારીઓને પણ પૂછપરછ માટે પોલીસ મથકમાં લવાયા હોવાની બિન સત્તાવાર માહિતી મળી છે.
અત્રે નોંધનીયછે કે, દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં શ્રી ભાવેશ પટેલે સસ્‍પેન્‍ડ કરાયેલ આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્‍ટ કમીટિના ચેરમેન/અધ્‍યક્ષ, ઉપ પ્રમુખ, મહામંત્રી કમલેશ આર. પટેલ, કોષાધ્‍યક્ષ છગન માહલા અને બીજા દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં સંકળાયેલા શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લોકસભાનું સત્ર આજે પૂર્ણ થતાં હવે દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના અધ્‍યક્ષ શ્રીમતી કલાબેન ડેલકર અને આદિવાસી વિકાસ સંગઠનના ઉપ પ્રમુખ અભિનવ ડેલકરની પણ તપાસ માટે પોલીસ તેડું મોકલી શકે એવી સંપૂર્ણ સંભાવના છે.

Related posts

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

Leave a Comment