Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

સરીગામ જીઆઈડીસી અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત એકમોમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનોને બજાર માર્ગ ઉપર આવતા અટકાવવા પંચાયતે પસાર કરેલો ઠરાવ અને પોલીસ તંત્રની માંગેલી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: સરીગામ બજાર અને રહેઠાણ વિસ્‍તારના માર્ગ ઉપર વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માતની શકયતા નિર્માણ થવા પામી છે. જેનું મુખ્‍ય કારણ સરીગામ બાયપાસ માર્ગ ખખડધજ બનતા જીઆઈડીસીમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનો સરીગામ બજાર વિસ્‍તારમાંથી પસાર થઈ રહ્યા છે. સરીગામ જીઆઈડીસીના ઘણા બદમાશ એકમોએ આંતરિક રસ્‍તા પાર્કિંગ માટે કબજા કરેલા છે અને પોલીસ તંત્ર એમનું બગાડી શકતી નથી. જે લાગવગનો લાભ સરીગામના રહેઠાણ વિસ્‍તારમાંથી પસાર થતા માર્ગ ઉપર પણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે કન્‍ટેનર અને ટેન્‍કર સહિતના ભારેખમ વાહનો સરીગામ રહેઠાણ વિસ્‍તારમાં પ્રવેશતા વારંવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ રહી છે અને અકસ્‍માતની શકયતા સામે આવી રહી છે. આ સર્જાયેલી સમસ્‍યા સામે રક્ષણ આપવા સરીગામ પંચાયતે એક ઠરાવ પસાર કરી ભારેખમ વાહનો ઉપર પ્રતિબંધ મૂકયો છે અને જબરજસ્‍તી પ્રવેશતા વાહનો સામેદંડાત્‍મક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આ ઠરાવની જાણકારી સરીગામ પંચાયતે ભીલાડ પોલીસ તંત્ર અને એસઆઈએને કરી છે તેમજ સરીગામ હદ વિસ્‍તારમાં કાર્યરત એકમના સંચાલકને પણ કરવામાં આવી છે. સરીગામ બજાર વિસ્‍તાર માર્ગ ઉપર કાર્યરત શાળાઓ, બેંક વગેરે જોતા રાહદારી અને નાના વાહનોથી ભરચક હોય છે ત્‍યારે જીઆઈડીસીના ભારેખમ વાહનોની અવરજવર ઉપર અંકુશ મુકવો અત્‍યંત જરૂરી જણાઈ રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે પોલીસ તંત્ર ધ્‍યાન આપે એવી પ્રજામાં પણ પ્રબળ માંગ છે.

Related posts

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

Leave a Comment