December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ ધરાવતા પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસે ભક્‍તો મોટા પ્રમાણમાં ઉમટી દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ દિવ્‍ય મંદિરમાં મહા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના અગ્રણી જોડાઈને આરતીનો લાભ લીધો હતો. સાથે સાથે અહીંથી શિરડી સાંઈબાબા પદયાત્રીઓને પ્રસ્‍થાન પણ કરાવાયા હતા.
ગામના લોકોનું માનવું છે કે, અહીં જ્‍યારથી ભગવાન શિવના સ્‍વયંભુ 5 શિવલીંગ મળ્‍યા છે ત્‍યારથી આ વિસ્‍તાર પ્રગતિ કરી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સ્‍ટેશન પણ આ વિસ્‍તારને મળ્‍યું છે. શ્રાવણ માસ અંતર્ગત મહા આરતીનું મંદિરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંવી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્‍ટી નાથુભાઈ પટેલ સહિત સેંકડો શિવ ભક્‍તોએ આરતી પૂજાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. ડુંગરાનું પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે અને લોકોની ખુબ આસ્‍થા આ મંદિર સાથે રહેલી છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

ચીખલી તાલુકાના ટાંકલ-ખારેલ 7.20 કિ.મીના માર્ગને ફોરલેનકરવા માટે 30.10 કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મંજૂર કરાતા સ્‍થાનિકોમાં આનંદની લાગણી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment