September 1, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

સમસ્‍ત મેઘવાળ ગામમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણઃ મેઘવાળનો નદી કિનારો સંઘપ્રદેશ પ્રશાસન માટે પ્રવાસનનું નજરાણું તરીકે વિકસિત કરવાની મળશે તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગાંધીનગર, તા.29 : સોમવારે ગાંધીનગર ખાતે કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં દાદરા નગર હવેલીને અડીને આવેલ ગુજરાત રાજ્‍યના કપરાડા તાલુકાના મેઘવાળ ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવાનો નિર્ણયનો સૈધ્‍ધાંતિક સ્‍વીકાર કરાયોછે. જેના કારણે વર્ષોથી ઉપેક્ષિત મેઘવાળ ગામનું ભાગ્‍ય ઉઘડી ગયું હોવાની લાગણી પ્રગટ થઈ રહી છે.
સોમવારે યોજાયેલ બેઠકમાં ગુજરાત રાજ્‍યના દાદરા નગર હવેલીની અડોશપડોશમાં આવેલ નગર, રાયમાળ અને મધુબન ગામોને જોડવાનો પણ પ્રસ્‍તાવ હતો. પરંતુ દક્ષિણ ગુજરાતના આ ત્રણેય ગામો દમણગંગા જળાશય પ્રોજેક્‍ટ અંતર્ગત સુરક્ષિત હોવાથી તેના હસ્‍તાંતરણ માટે સમજૂતિ શક્‍ય નહીં બની હતી. પરંતુ દાદરા નગર હવેલીના મસાટ નજીક આવેલ મેઘવાળ ગામને સંઘપ્રદેશમાં સમાવવા માટે સૈધ્‍ધાંતિક સહમતિ બનતાં આ વિસ્‍તારમાં વિકાસના નવા દરવાજા ઉઘડશે એવી લાગણી લોકોમાં પ્રગટ થઈ રહી છે.

Related posts

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવો

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment