Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45) રહેવાસી ખરડપાડા જેઓનો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝગડો થયો હતો. ત્‍યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્‍યો દ્વારા સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. સવારે જ્‍યારે પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) કરવામાં આવ્‍યુ ત્‍યારે પ્રાથમિક રિપોર્ટમાં એમનુ ગળું દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું હતું. આ ઘટનામાં ફરિયાદ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment