April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્‍થાને એક રાજનૈતિક વ્‍યક્‍તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશની થયેલ સર્વાંગી કાયાપલટ બદલ તમામ પંચાયતોની ગ્રામસભામાં પસાર કરાયો આભાર પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ગ્રામ પંચાયતોમાં આજે વિશેષ ગ્રામસભા બોલાવી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ સમગ્ર પ્રદેશની થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિ અને કાયાપલટ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્‍થાને એક રાજનૈતિક વ્‍યક્‍તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશનો થયેલ સર્વાંગી વિકાસ માટે તેમનો આભાર પ્રગટ કરાયો હતો અને પ્રશાસકશ્રીએ સાત વર્ષના કાર્યકાળમાંવિવિધ ઉચ્‍ચ શિક્ષણના દ્વાર ખોલવાની સાથે આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલી વિવિધ યોજનાઓ, માળખાગત સુવિધાઓ તથા પ્રદેશની સોશિયો-ઈકોનોમિક સ્‍થિતિમાં લાવેલ હકારાત્‍મક પરિવર્તનની નોંધ લઈ પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોએ પ્રશાસકશ્રીના ઋણનો સ્‍વીકાર કરી તેમનો આભાર પ્રગટ કરતો પ્રસ્‍તાવ ગ્રામસભામાં મંજૂર કરાયો હતો.

Related posts

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

Leave a Comment