પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્થાને એક રાજનૈતિક વ્યક્તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશની થયેલ સર્વાંગી કાયાપલટ બદલ તમામ પંચાયતોની ગ્રામસભામાં પસાર કરાયો આભાર પ્રસ્તાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ગ્રામ પંચાયતોમાં આજે વિશેષ ગ્રામસભા બોલાવી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમગ્ર પ્રદેશની થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિ અને કાયાપલટ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્થાને એક રાજનૈતિક વ્યક્તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશનો થયેલ સર્વાંગી વિકાસ માટે તેમનો આભાર પ્રગટ કરાયો હતો અને પ્રશાસકશ્રીએ સાત વર્ષના કાર્યકાળમાંવિવિધ ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલવાની સાથે આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલી વિવિધ યોજનાઓ, માળખાગત સુવિધાઓ તથા પ્રદેશની સોશિયો-ઈકોનોમિક સ્થિતિમાં લાવેલ હકારાત્મક પરિવર્તનની નોંધ લઈ પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોએ પ્રશાસકશ્રીના ઋણનો સ્વીકાર કરી તેમનો આભાર પ્રગટ કરતો પ્રસ્તાવ ગ્રામસભામાં મંજૂર કરાયો હતો.