(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીમાં ડેંગ્યુના તાવના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રદેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ રાજપુત જેઓ પોતે અને એમનો પરિવાર પણ ડેંગ્યુ તાવની ચપેટમાં આવી ગયા હતા. વિક્રમસિંહ રાજપુતની સારવાર સેલવાસની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તેમની પત્નીને સાથે લઈ એમના મુળ વતન રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના અરણિયા ગામમાં એમની માતા રહે છે ત્યાં ગયા હતો જયાં વિક્રમસિંહ રાજપુતની તબિયત પાછી વધુ બગડતા શુક્રવારના રોજ મોડી રાત્રે એમનું નિધન થયું હતું.
મુળ રાજસ્થાનના અને ધંધાર્થે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા યુવાનના મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસી રાજસ્થાની સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.