Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના તાવના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રદેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ રાજપુત જેઓ પોતે અને એમનો પરિવાર પણ ડેંગ્‍યુ તાવની ચપેટમાં આવી ગયા હતા. વિક્રમસિંહ રાજપુતની સારવાર સેલવાસની એક ખાનગી હોસ્‍પિટલમાં ચાલી રહી હતી. ત્‍યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તેમની પત્‍નીને સાથે લઈ એમના મુળ વતન રાજસ્‍થાનના રાજસમંદ જિલ્લાના અરણિયા ગામમાં એમની માતા રહે છે ત્‍યાં ગયા હતો જયાં વિક્રમસિંહ રાજપુતની તબિયત પાછી વધુ બગડતા શુક્રવારના રોજ મોડી રાત્રે એમનું નિધન થયું હતું.
મુળ રાજસ્‍થાનના અને ધંધાર્થે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા યુવાનના મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસી રાજસ્‍થાની સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Related posts

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment