April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી હાઈવે મામલતદાર તાલુકા સેવા સદનના કમ્‍પાઉન્‍ડમાં નવનિર્માણ થયેલ વાપી તાલુકા પંચાયત ભવનનો શનિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા વાપી તાલુકા પંચાયતની નવી કચેરીનું ભવન સાકાર કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી બલીઠામાં સાકાર થયેલ વાપી તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મામલતદાર કચેરીમાં તા.પં. કચેરીનું સંલગ્ન કામગીરી ચાલી રહી હતી. હવે સ્‍વતંત્ર ભવન ઉપલબ્‍ધ થવાથી લોકોની સુવિધા વધશે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ, ડી.ડી.ઓ. મનીષ ગુરવાની, કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, તા.વિકાસ અધિકારી એસ.એ. જેઠવા અને તા.પં. પ્રમુખ વાપી શ્રીમતી વાસંતીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment