October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી હાઈવે મામલતદાર તાલુકા સેવા સદનના કમ્‍પાઉન્‍ડમાં નવનિર્માણ થયેલ વાપી તાલુકા પંચાયત ભવનનો શનિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા વાપી તાલુકા પંચાયતની નવી કચેરીનું ભવન સાકાર કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી બલીઠામાં સાકાર થયેલ વાપી તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મામલતદાર કચેરીમાં તા.પં. કચેરીનું સંલગ્ન કામગીરી ચાલી રહી હતી. હવે સ્‍વતંત્ર ભવન ઉપલબ્‍ધ થવાથી લોકોની સુવિધા વધશે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ, ડી.ડી.ઓ. મનીષ ગુરવાની, કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, તા.વિકાસ અધિકારી એસ.એ. જેઠવા અને તા.પં. પ્રમુખ વાપી શ્રીમતી વાસંતીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

Leave a Comment