January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

ગણેશ મહોત્‍સવ અંગે ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે અવઢવ : પરમિશન જલદી આપવાની ધારાસભ્‍યની માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની શ્રીજીની પ્રતિમા રાખવાનો બહાર પડાયેલ પરિપત્ર, જાહેરનામા બાદ ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે આંટી પડી રહેલ છે. આ સંદર્ભે ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને ગણેશ મહોત્‍સવની અટવાયેલ જરૂરી પરમિશન અંગે ત્‍વરીત નિરાકરણ લાવવાની માંગ કરી છે.
આગામી તા.19 સપ્‍ટેમ્‍બરથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થાય છે તે પહેલા જાહેરનામું બહાર પડાયું કે, 9 ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમા ના હોવી જોઈએ. આ જાહેરનામાનો ગણેશ આયોજકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે જરૂરી પરમિશન અટવાઈ પડી છે. તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને માંગણી કરી છે કે, મુસ્‍લિમોના તાજીયા 15 ફૂટથી ઊંચા હતા, શહેરમાં ફર્યા હતા તો શ્રીજીની મૂર્તિનો 9 ફૂટનો માપદંડ રખાયો હોવાથી ગણેશ ભક્‍તોની લાગણી દુભાઈ છે. બીજુ મૂર્તિઓના ઓર્ઢર ચાર-પાંચ મહિના પહેલા અપાઈ ચૂકેલા છે તેથી યોગ્‍ય નિરાકરણ માટે ધારાસભ્‍યએ ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરીછે.

Related posts

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment