July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

ગણેશ મહોત્‍સવ અંગે ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે અવઢવ : પરમિશન જલદી આપવાની ધારાસભ્‍યની માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની શ્રીજીની પ્રતિમા રાખવાનો બહાર પડાયેલ પરિપત્ર, જાહેરનામા બાદ ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે આંટી પડી રહેલ છે. આ સંદર્ભે ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને ગણેશ મહોત્‍સવની અટવાયેલ જરૂરી પરમિશન અંગે ત્‍વરીત નિરાકરણ લાવવાની માંગ કરી છે.
આગામી તા.19 સપ્‍ટેમ્‍બરથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થાય છે તે પહેલા જાહેરનામું બહાર પડાયું કે, 9 ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમા ના હોવી જોઈએ. આ જાહેરનામાનો ગણેશ આયોજકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે જરૂરી પરમિશન અટવાઈ પડી છે. તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને માંગણી કરી છે કે, મુસ્‍લિમોના તાજીયા 15 ફૂટથી ઊંચા હતા, શહેરમાં ફર્યા હતા તો શ્રીજીની મૂર્તિનો 9 ફૂટનો માપદંડ રખાયો હોવાથી ગણેશ ભક્‍તોની લાગણી દુભાઈ છે. બીજુ મૂર્તિઓના ઓર્ઢર ચાર-પાંચ મહિના પહેલા અપાઈ ચૂકેલા છે તેથી યોગ્‍ય નિરાકરણ માટે ધારાસભ્‍યએ ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરીછે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

પારડી એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment