April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

ગણેશ મહોત્‍સવ અંગે ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે અવઢવ : પરમિશન જલદી આપવાની ધારાસભ્‍યની માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં ગણેશ મહોત્‍સવમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની શ્રીજીની પ્રતિમા રાખવાનો બહાર પડાયેલ પરિપત્ર, જાહેરનામા બાદ ગણેશ આયોજકો અને પોલીસ વચ્‍ચે આંટી પડી રહેલ છે. આ સંદર્ભે ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને ગણેશ મહોત્‍સવની અટવાયેલ જરૂરી પરમિશન અંગે ત્‍વરીત નિરાકરણ લાવવાની માંગ કરી છે.
આગામી તા.19 સપ્‍ટેમ્‍બરથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થાય છે તે પહેલા જાહેરનામું બહાર પડાયું કે, 9 ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમા ના હોવી જોઈએ. આ જાહેરનામાનો ગણેશ આયોજકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે જરૂરી પરમિશન અટવાઈ પડી છે. તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને માંગણી કરી છે કે, મુસ્‍લિમોના તાજીયા 15 ફૂટથી ઊંચા હતા, શહેરમાં ફર્યા હતા તો શ્રીજીની મૂર્તિનો 9 ફૂટનો માપદંડ રખાયો હોવાથી ગણેશ ભક્‍તોની લાગણી દુભાઈ છે. બીજુ મૂર્તિઓના ઓર્ઢર ચાર-પાંચ મહિના પહેલા અપાઈ ચૂકેલા છે તેથી યોગ્‍ય નિરાકરણ માટે ધારાસભ્‍યએ ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરીછે.

Related posts

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

vartmanpravah

વાપી ચણોદ ખાતે રહેતો વિદ્યાર્થીએ વાપી ડેપોને રૂટ બોર્ડ ભેટમાં આપ્‍યું

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

Leave a Comment