April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.08  ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણની મુખ્‍ય સામાજિક ઉત્તર ભારતીય સંસ્‍થા ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા સમયાંતરે અનેક સામાજિક, ધાર્મિક અને સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં હિન્‍દી ભાષી અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍થાનિક લોકોની માંગણીને ધ્‍યાને લઈ નાની દમણ ખાતેના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 7:00 વાગ્‍યે એક ભવ્‍ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કવિ સંમેલનમાં વિશ્વ વિખ્‍યાત લોકપ્રિય કવિઓ અને અગ્રણી ટીવી કાર્યક્રમમાં નેતાજીના પ્રસિદ્ધ કવિઓ શ્રી શંભુ શિખર, શ્રી અમન અક્ષર, સુશ્રી મણિકા દુબે, અંકિતા સિંહ રાઠોડ, શ્રીમતી પ્રિયા ખુશ્‍બુ, શ્રી શશિકાંત યાદવ, શ્રી અભય નિર્ભિક અને અન્‍ય ઘણા લોકપ્રિય કવિઓ તેમની રચનાઓથી સંઘપ્રદેશાસીઓનું મનોરંજન કરશે.
આ વિશાળ કવિ સંમેલનને સફળ બનાવવા સંસ્‍થાના તમામ હોદ્દેદારો, પ્રેસ મીડિયા કર્મીઓ અને દમણના સ્‍થાનિક આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

Leave a Comment