October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ગુજરાતમાં ઠેર-ઠેર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ રહી છે અને દેશભક્‍તિના નારા ગુંજી રહ્યા છે ત્‍યારે ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં 75 મીટર લાંબા રાષ્‍ટ્રધ્‍વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું હતું.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, ધરમપુર પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી, કપરાડા મામલતદાર ડી.એસ.શાહ સહિત તમામ વહીવટી તંત્રએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો હતો. હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગતયાત્રામાં ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનને પગલે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે. દેશ ભક્‍તિને પ્રજ્‍વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્‍ય સહિત દેશભરમાં રાષ્‍ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે. જેની ઉજવણી આન બાન અને શાનથી કરવા માટે અનુરોધ કર્યો હતો.
રાષ્‍ટ્રધ્‍વજ સાથે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા હુડા (નાચન ખડક) થી મુખ્‍ય રોડ ફરીને પ્રાથમિક શાળા હુડા (આંબાપાડા) ખાતે પૂરી થઈ હતી. તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, સામાજિક ન્‍યાય અધ્‍યક્ષ કાશુભાઈ ભંસરા, જિલ્લા પંચાયત સદસ્‍ય મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્‍ય ધાયત્રીબેન ગાયકવાડ, તાલુકા પંચયત સદસ્‍ય મનીષાબેન ચૌધરી, માધુભાઈ સરનાયક, ચંદરભાઈ ગાયકવાડ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, કપરાડા પોલીસ, વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર પંથક દેશભક્‍તિના નારાથી ગુંજી ઊઠ્‍યો હતો.

Related posts

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

Leave a Comment