Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

મુંબઈ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મેકઅપ આર્ટિસ્‍ટનૈના મહંત હોવાની થઈ ઓળખ:
પોતાના પ્રેમીએ જ કરી હતી હત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડીના બાલદા જીઆઈડીસી બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પાર નદી કિનારે તારીખ 12.8. 2023 ના રોજ ડિ કમ્‍પોઝ હાલતમાં 25 થી 30 વર્ષીય એકસ્ત્રીની લાશ મળી આવી હતી.
પારડી પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્‍સિક પીએમ કરાવ્‍યા છતાં શરીરએ કોઈ ઈજાના નિશાન મળી ન આવતા. આ મામલો પેચીદો બન્‍યો હતો પરંતુ આ કેસની તપાસ કરનાર પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ. ડી. ડોડીયાએ વિશેરા રિપોર્ટ કરાવી અને શરીર પરના છૂંદણા તથા ગળામાં પહેરેલ ચેઈન, લોકેટ અને ન્‍યૂઝમાં આ અંગેના સમાચાર દ્વારા આ કેસના અંત સુધી પહોંચવાનો પ્રયત્‍ન ચાલુ રાખતા આ કેસનું પગેરૂ મુંબઈ સુધી લંબાયું હતું.
જે તે સમયે મુંબઈના વસઈ નાયગાંવ ખાતે રહેતી જયાબેન નામની મહિલાએ પોતાની બહેન નૈના મહંત ગુમ થયાની ફરિયાદ નાયગાવ પોલીસ સ્‍ટેશન નોંધાવી હતી.
જેને આધારે મુંબઈ પોલીસે તપાસ દરમિયાન નૈનાના ફલેટના બિલ્‍ડીંગના સીસીટીવી ચેક કરતા નૈનાનો પ્રેમી મનોહર શુક્‍લા એક મોટી બેગ લઈ નીકળતા નજરે ચડતા શંકાને આધારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન નૈનાના પ્રેમી મનહર શુક્‍લાએ 2018માં અન્‍યસ્ત્રીસાથે લગ્ન કરી લીધા હતા અને એક બાળકનો પિતા હોવા છતાં પણ તેણે પૂર્વ પ્રેમિકા નૈના સાથે પણ સંબંધ ચાલુ રાખ્‍યા હતા. આ બાબતે નૈના સાથે વારંવાર ફલેટમાં બંને વચ્‍ચે ઝઘડો થતા પરંતુ મોટી સૂટકેસ લઈ પોતાની પત્‍ની અને બાળક સાથે નીકળવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેણે જેલમાં જવાનો વારો આવ્‍યો છે.
હજુ વિશેરાના રિપોર્ટ પણ આવવાનો બાકી હોય બાકીના તમામ પુરાવાઓ શોધવા પારડી અને મુંબઈ પોલીસ સંયુક્‍ત રીતે સાથે મળી આ ઓપરેશન પાર પાડશે.

Related posts

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

દાનહ સેલવાસના આદિવાસી ભવનમાં વિવિધ સ્‍વરોજગારની તાલીમ આપવાના નવતર કાર્યક્રમનો આરંભ

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

Leave a Comment