Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

દાનહ અને દમણ-દીવ ફૂટબોલએસોસિએશનના અધ્‍યક્ષ અમિત ખેમાણીએ આપેલી જાણકારીઃ 16મી સપ્‍ટે.એ 22 ખેલાડીઓ સાથે અંડર-17 ટુર્નામેન્‍ટ રમવા પ્રદેશની ગર્લ્‍સ ફૂટબોલ ટીમ ભૂવનેશ્વર પ્રસ્‍થાન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના પ્રયાસથી પહેલી વખત પ્રદેશની ગર્લ્‍સ અને બોયઝની ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા જઈ રહી હોવાની જાણકારી એસોસિએશનના પ્રેસિડેન્‍ટ શ્રી અમિત ખેમાણીએ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનની શ્રી અમિત ખેમાણીના અધ્‍યક્ષપદે રચના થઈ હતી. જે અંતર્ગત બોયઝ અને ગર્લ્‍સની ટીમ અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્‍સની ટીમ ત્રણેય નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપ – 2023-‘24માં ભાગ લેવા માટે જઈ રહી છે. જે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ગૌરવની ઘટના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી અમિત ખેમાણીએ જણાવ્‍યું હતું કે, 22 ખેલાડીઓ સાથેની જુનિયર ગર્લ્‍સ ફૂટબોલ અંડર-17ની ટીમ 16મી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ ભૂવનેશ્વર-ઓરિસ્‍સા જવા રવાના થશે. જ્‍યારેસબ જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ અંડર-14ની ટીમ 26મી સપ્‍ટેમ્‍બરે 22 ખેલાડીઓ સાથે આંધ્ર પ્રદેશના અનંતપુરમ્‌ જવા પ્રસ્‍થાન કરશે. અંડર-17 બોયઝની ટીમ ડો. બી. સી. રોય ટ્રોફી રમવા માટે 22 ખેલાડીઓ સાથે 22મી સપ્‍ટેમ્‍બરે જબલપુર જવા રવાના થશે.
આ તમામ ખેલાડીઓને લગભગ એક મહિનાની સખત તાલીમ ફૂટબોલ એસોસિએશન દ્વારા શ્રી અમિત ખેમાણીના સહયોગથી આપવામાં આવેલ છે. આજે ત્રણેય ટીમોના ખેલાડીઓને ડીએનએચડીડીએફએના પ્રમુખ શ્રી અમિત ખેમાણીએ પ્રદેશની ફૂટબોલ ટીમના હિસ્‍સો બનવા બદલ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના પણ પાઠવી હતી.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા -કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં 246 જેટલા સ્‍થળોએ કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment