Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે શનિવાર 16 સપ્‍ટેમ્‍બરના રોજ ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી. આ રેલીમાં વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પૂજ્‍ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી ખાસ ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ ઉપરાંત દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં.
ગંગા, ગીતા તથા તુલસીના દિવ્‍ય ત્રણ રથો સાથે જીવંત ઝાંખી સૌના આકર્ષણનુ કેન્‍દ્ર બન્‍યા હતા.
શનિવારે સવારે 8.00 કલાકે વાપી જીઆઈડીસી રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્‍લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મુખ્‍ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્‍ટ્ર લેવા પટેલ સમાજ વાડી બલીઠા વાપી ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભાઈ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતાં. હોલમાં સભા થઈ હતી. જેમાં ભારતમાતા, ગૌ માતા, ગંગાકળશ, ગીતાજી તથાતુલસીમાતાનું પૂજન, મહાનુભાવોના સન્‍માન બાદ સાંસ્‍કળતિક કાર્યક્રમ રજુ થયા હતા. જે કાર્યક્રમ એ ઉપસ્‍થિત લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. તે પછી 1000 વ્‍યક્‍તિઓને ગંગાજળ, ગીતાજી તથા તુલસીછોડની કીટ નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ સાથે 25 કરોડ પરિવાર સુધી ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો સંદેશ પહોંચાડવા સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પૂજ્‍ય અખંડાનંદ સ્‍વામી (અધ્‍યક્ષ, વલસાડ જીલ્લા સંત સમિતિ), પૂજ્‍ય રામ સ્‍વામી, ડો.એસ.પી. તિવારીજી (સંસ્‍થાપક, વિશ્વ કુટુંબકમ પ્રવાસી સંઘ), ડો.એન.બી. મોરે (આંતરરાષ્‍ટ્રીય સંયોજક, વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી દિલીપ પટેલ(સંરક્ષક વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી ડી.પી. મિશ્રા(શ્રી રામ જન્‍મભૂમિ શોધક), ડો.ચૈતાલી સિંગ (સચિવ, વિશ્વ પ્રવાસી સંઘ), નીરજ તિવારી, વિવિધ સામાજિક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આગેવાનો અને સભ્‍યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

Leave a Comment