September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તાનું જંકશન કે જે વાહન વ્‍યવહારથી સતત ધમધમતું હોય છે ત્‍યારે ચાર રસ્‍તા પાસે બીલીમોરા તરફજતા માર્ગ ઉપર રસ્‍તાની સપાટી ઠેર ઠેર તૂટી જતા મસમોટા ખાડાઓ પડતા અવાર નવાર ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકોની મુશ્‍કેલીનો પાર રહ્યો ન હતો.
બીજી તરફ માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરિટીનો વિસ્‍તાર હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી મરામત કરાતી ન હતી. જોકે જે અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન દ્વારા યોજના ધોરણે ખાડાઓ પૂરી માર્ગની મરામત કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી. વધુમાં આ માર્ગનો ખાડાગ્રસ્‍ત આ વિસ્‍તાર માર્ગની લંબાઈ ખરેખર હાઈવે ઓથોરિટી લાગે છે કે પછી માર્ગ મકાન વિભાગને તે નક્કી કરી ઘણા વર્ષથી ખો આપવાની નીતિરીતિ બંધ થાય અને સમયાંતરે મરામત સાથે માર્ગની જાળવણી થાય તે જરૂરી છે.

Related posts

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની પરી ગીરીની સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા આયોજીત કરાટે સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

Leave a Comment