March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્‍સવની તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે, મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવી દેવામાં આવી છે અને ગણેશભક્‍તોએ પણ મૂર્તિઓનુ બુકિંગ કરાવી દીધુ છે. અને ગણેશ મંડળો દ્વારા લાઈટીંગ મંડપો બાંધવાની કામગીરી ચાલી રહી છે, પ્રશાશન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફૂટથી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાંઆવેલ છે સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે, છતાં પણ કેટલાક વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરીસ (પીઓપી) વાળી ગણપતિની મૂર્તિઓ વેચાઈ રહી છે. આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે. જેથી મૂર્તિકારોમાં પણ થોડા અંશે ખુશી જોવા મળી છે અને મુર્તિકાર પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.

Related posts

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

જન્‍મ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલને અભિનંદન પાઠવતા દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન અને હરિશભાઈ પટેલ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment