April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્‍સવની તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે, મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવી દેવામાં આવી છે અને ગણેશભક્‍તોએ પણ મૂર્તિઓનુ બુકિંગ કરાવી દીધુ છે. અને ગણેશ મંડળો દ્વારા લાઈટીંગ મંડપો બાંધવાની કામગીરી ચાલી રહી છે, પ્રશાશન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફૂટથી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાંઆવેલ છે સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે, છતાં પણ કેટલાક વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરીસ (પીઓપી) વાળી ગણપતિની મૂર્તિઓ વેચાઈ રહી છે. આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે. જેથી મૂર્તિકારોમાં પણ થોડા અંશે ખુશી જોવા મળી છે અને મુર્તિકાર પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.

Related posts

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment