Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી
દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્‍તારમાં સમસ્‍ત જૈન સમાજે આસ્‍થા-તપ અને આરાધના સાથે ઉજવણી કરી વાપીના તમામ દેરાસરોમાં સતત પર્યુષણ પર્વ નિમિત્તે સત્‍સંગ-પ્રવચન થતા રહેલા. જેનો હજારો જૈનોએ લાભ લઈને પર્યુષણ પર્વની ઉજવણી કરીને મિચ્‍છામી દુકડમ પાઠવ્‍યા હતા.
પર્યુષણ પર્વનું પ્રમુખ હાર્દ જ એજ છે પર્વમાં ક્ષમાપનાનો મહિમા છે. સંવત્‍સરી પર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે. વર્ષ દરમિયાન ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે. કોઈની ભૂલ થઈ હોય તો ઉદારતા દાખવી માફી આપવાની છે. પર્યુષણ પર્વની હાર્દ સત્‍વ જ આજ છે તે અનુસાર દશ દિવસ જૈન સમાજના અબાલ વૃધ્‍ધોએ પુર્યષણની ઉજવણી કરી ઉપવાસ તપસ્‍યા કરી દરેક દેરાસરોમાં મહારાજ સાહેબોના દિવ્‍ય પ્રવચનની વાણી વહેતી હતી. અંતિમ દિને વાપી અજીતનાથ દેરાસરમાં ભગવાનને સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરી શ્રધ્‍ધેય પૂર્વક જૈન સમાજે પુર્યષણની ઉજવણી કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

Leave a Comment