November 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી
દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્‍તારમાં સમસ્‍ત જૈન સમાજે આસ્‍થા-તપ અને આરાધના સાથે ઉજવણી કરી વાપીના તમામ દેરાસરોમાં સતત પર્યુષણ પર્વ નિમિત્તે સત્‍સંગ-પ્રવચન થતા રહેલા. જેનો હજારો જૈનોએ લાભ લઈને પર્યુષણ પર્વની ઉજવણી કરીને મિચ્‍છામી દુકડમ પાઠવ્‍યા હતા.
પર્યુષણ પર્વનું પ્રમુખ હાર્દ જ એજ છે પર્વમાં ક્ષમાપનાનો મહિમા છે. સંવત્‍સરી પર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે. વર્ષ દરમિયાન ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે. કોઈની ભૂલ થઈ હોય તો ઉદારતા દાખવી માફી આપવાની છે. પર્યુષણ પર્વની હાર્દ સત્‍વ જ આજ છે તે અનુસાર દશ દિવસ જૈન સમાજના અબાલ વૃધ્‍ધોએ પુર્યષણની ઉજવણી કરી ઉપવાસ તપસ્‍યા કરી દરેક દેરાસરોમાં મહારાજ સાહેબોના દિવ્‍ય પ્રવચનની વાણી વહેતી હતી. અંતિમ દિને વાપી અજીતનાથ દેરાસરમાં ભગવાનને સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરી શ્રધ્‍ધેય પૂર્વક જૈન સમાજે પુર્યષણની ઉજવણી કરી હતી.

Related posts

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આલીપોરના માજી સરપંચ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોîધાયોઃ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી: રૂ.10.54 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

Leave a Comment