ચીખલી વન વિભાગે 9 જેટલા પોપટોનો કબજો લઈ હાથ ધરેલી કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી વન વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખેલા નવ જેટલા પોપટોનો કબજો લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવતાગેરકાયદેસર રીતે પોપટ જેવા પક્ષીઓને રાખનારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ચીખલી રેન્જ કર્મચારીએથી પ્રાપ્ત વિગત મુજબ બાતમીના આધારે ચકાસણી હાથ ધરી ગેરકાયદેસર પાંજરામાં બંધન અવસ્થામાં રાખેલા દેશી પ્રજાતિના ખેરગામ તાલુકાના ભૈરવી બાબુભાઈ મોતીભાઈ પટેલના કબ્જામાં બે તેમજ ચીખલી તાલુકાના તલાવચોરા બ્રાહ્મણ ફળિયામાં રમીલાબેન ઠાકોરભાઈ હળપતિના ઘરથી એક ઘેજ ગામના પહાડ ફળિયામાં મહેશ છોટુભાઈ પટેલના ઘરેથી ચાર અને તલાવચોરાના સુથાર ફળિયામાં ગૌરાંગભાઈ વિનોદભાઈ પંચાલના ઘરેથી બે મળી કુલ 9-જેટલા દેશી પ્રજાતિના પોપટોને છોડાવી તેનો કબજો લઈ ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.