October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ‘‘મન કી બાત”માં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મિયાવાકી જંગલના ફાયદા વિશે વાત કરી તથા તેના પ્રસાર પર ભાર મૂકયો હતો. આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ‘‘વન કવચ”ની થીમ પર મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષારોપણ થયુ હતું. ત્‍યારે વલસાડના કૈલાસ રોડ પર સ્‍થિત સ્‍મશાન ભૂમિમાં તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9-45 કલાકે બીલીમોરાના હરિયાળી ગૃપ ટ્રસ્‍ટ દ્વારા 80 થી 85 જાતના કુલ 4 હજાર વૃક્ષો રોપવામાં આવશે. બે વર્ષ પહેલા આંતલિયા જીઆઈડીસીમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. જેમાં -47 ડિગ્રી તાપમાનથી લઈ ૅ47 ડિગ્રી સુધીના તાપમાનમાં જાત જાતના વૃક્ષો રોપવામાં આવ્‍યા અને અચંબામાં પડી જવાય એવું પરિણામ મળ્‍યું હતું. આ સફળ પ્રયોગ પછી બીલીમોરા હરિયાળી ગૃપ દ્વારા વલસાડમાં પણ રવિવારે 4000 વૃક્ષોનું વાવેતરની સાથે 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં વલસાડના પર્યાવરણ અને પ્રકળતિ પ્રેમીઓ માટે નવલું નજરાણું ગણાશે.

Related posts

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment