Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા સહિત વિવિધ વિસ્‍તારમાં સ્‍થાપવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનું આજે સાતમાં દિવસેગણેશભક્‍તથો દ્વારા દમણગંગા નદી કિનારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં ભક્‍તિભાવ સાથે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર ઠંડું પાણી અને શરબતનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. વિસર્જન યાત્રા દરમ્‍યાન કોઈને અગવડ નહીં પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્‍થળો પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો આ સાથે આરોગ્‍ય વિભાગની ટીમ અને ફાયર ફાઈટર વિભાગની ટીમના જવાનોએ ખડે પગે હાજર રહી સેવા બજાવી હતી.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

Leave a Comment