September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ સ્‍ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફિલ્‍મ બર્નિંગ ટ્રેન જેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. આગ એટલી ભિષણ હતી કે ચાર કોચ આગની જ્‍વાળાઓમાં લપેટમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લામાં ટ્રેનમાં આગ લાગ્‍યાનો આ પ્રથમ બનાવ બન્‍યો હતો. હમસફર ટ્રેન વલસાડથી સુરત જવા રવાના થઈ કે તુરંત જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેનના જનરેટર કોચમાં સ્‍પાર્કિંગથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે સદનસીબે તમામ કોચમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ચાર થી છ કલાક ફાયર ટીમની જહેમત બાદ આગ કાબુ કરી લેવાઈ હતી. આગની દુર્ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે રેલવેની એફ.એસ.એલ. ટીમ વલસાડ આવી પહોંચી હતી અને તમામ નમુના એકત્ર કરી ટેકનિકલ તપાસ આરંભી હતી. સંપૂર્ણ તપાસ બાદ આગના સાચા તથ્‍યો બહાર આવશે.

Related posts

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્‍ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્‍યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્‍પાદક

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment