Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ સ્‍ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફિલ્‍મ બર્નિંગ ટ્રેન જેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. આગ એટલી ભિષણ હતી કે ચાર કોચ આગની જ્‍વાળાઓમાં લપેટમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લામાં ટ્રેનમાં આગ લાગ્‍યાનો આ પ્રથમ બનાવ બન્‍યો હતો. હમસફર ટ્રેન વલસાડથી સુરત જવા રવાના થઈ કે તુરંત જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેનના જનરેટર કોચમાં સ્‍પાર્કિંગથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે સદનસીબે તમામ કોચમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ચાર થી છ કલાક ફાયર ટીમની જહેમત બાદ આગ કાબુ કરી લેવાઈ હતી. આગની દુર્ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે રેલવેની એફ.એસ.એલ. ટીમ વલસાડ આવી પહોંચી હતી અને તમામ નમુના એકત્ર કરી ટેકનિકલ તપાસ આરંભી હતી. સંપૂર્ણ તપાસ બાદ આગના સાચા તથ્‍યો બહાર આવશે.

Related posts

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

Leave a Comment