Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ સ્‍ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફિલ્‍મ બર્નિંગ ટ્રેન જેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. આગ એટલી ભિષણ હતી કે ચાર કોચ આગની જ્‍વાળાઓમાં લપેટમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લામાં ટ્રેનમાં આગ લાગ્‍યાનો આ પ્રથમ બનાવ બન્‍યો હતો. હમસફર ટ્રેન વલસાડથી સુરત જવા રવાના થઈ કે તુરંત જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેનના જનરેટર કોચમાં સ્‍પાર્કિંગથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે સદનસીબે તમામ કોચમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ચાર થી છ કલાક ફાયર ટીમની જહેમત બાદ આગ કાબુ કરી લેવાઈ હતી. આગની દુર્ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે રેલવેની એફ.એસ.એલ. ટીમ વલસાડ આવી પહોંચી હતી અને તમામ નમુના એકત્ર કરી ટેકનિકલ તપાસ આરંભી હતી. સંપૂર્ણ તપાસ બાદ આગના સાચા તથ્‍યો બહાર આવશે.

Related posts

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment