April 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આમ તો દર વર્ષે વામન જયંતિના દિવસે આ કાર્યક્રમ યોજવાની પરંપરા ચાલી આવેલી પરંતુ તેમાં બદલાવ લાવી રવિવારે કાર્યક્રમ યોજવામાં આવતા સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારાઆજથી 7 દશક પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા દોઢ દશક થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આકાર્યક્રર્મ યોજી રહ્યું છે, દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. કોરોનાકાળનાં 2 વર્ષ બાદ કરતાં અવિરત દર વર્ષે કાર્યક્રર્મ યોજવામાં આવતો રહ્યો છે. અત્‍યાર સુધી વામન જયંતિનાં દિવસે જ યોજાતા આ કાર્યક્રમમાં ઘણી વખત વર્કિંગ દિવસ આવતો હોવાથી સમાજનાં ઘણાં નોકરિયાતો, વેપાર ધંધાવાળા લોકો ભાગ લઈ શકતાં ન હતાં જેને લઈ સમાજનાં અનેક લોકોની લાગણીને માન રાખી સમાજનાં પ્રમુખ પ્રકાશભાઈ ગજરેએ સમાજના વડીલો તેમજ સાથી સભ્‍યો અને મિત્રમંડળનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ હવેથી ભાદરવા મહિનામાં રવિવારે યોજવાનું નક્કી કર્યું હતું જે મુજબ ગત રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો હતો. એક સાથે 85 જેટલાં લોકોએ શાષાોક્‍તવિધિ અનુસાર દેહ શુદ્ધિની ક્રિયા કરી જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી. જનોઈ બદલવાનો કાર્યક્રમ સંપન્ન થયાં બાદ સમગ્ર દૈવજ્ઞ સમાજનાં બંધુઓ માટે બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું જેમાં પણ મોટી સંખ્‍યામાં સમાજનાં લોકો લાભ લીધો હતો. આ સાથે આગામી વર્ષે ભાદરવા મહિનામાં યોગાનુયોગ રવિવારે વામન જયંતીનો દિવસ હોય તે દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

Leave a Comment