April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આમ તો દર વર્ષે વામન જયંતિના દિવસે આ કાર્યક્રમ યોજવાની પરંપરા ચાલી આવેલી પરંતુ તેમાં બદલાવ લાવી રવિવારે કાર્યક્રમ યોજવામાં આવતા સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારાઆજથી 7 દશક પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા દોઢ દશક થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આકાર્યક્રર્મ યોજી રહ્યું છે, દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. કોરોનાકાળનાં 2 વર્ષ બાદ કરતાં અવિરત દર વર્ષે કાર્યક્રર્મ યોજવામાં આવતો રહ્યો છે. અત્‍યાર સુધી વામન જયંતિનાં દિવસે જ યોજાતા આ કાર્યક્રમમાં ઘણી વખત વર્કિંગ દિવસ આવતો હોવાથી સમાજનાં ઘણાં નોકરિયાતો, વેપાર ધંધાવાળા લોકો ભાગ લઈ શકતાં ન હતાં જેને લઈ સમાજનાં અનેક લોકોની લાગણીને માન રાખી સમાજનાં પ્રમુખ પ્રકાશભાઈ ગજરેએ સમાજના વડીલો તેમજ સાથી સભ્‍યો અને મિત્રમંડળનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ હવેથી ભાદરવા મહિનામાં રવિવારે યોજવાનું નક્કી કર્યું હતું જે મુજબ ગત રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો હતો. એક સાથે 85 જેટલાં લોકોએ શાષાોક્‍તવિધિ અનુસાર દેહ શુદ્ધિની ક્રિયા કરી જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી. જનોઈ બદલવાનો કાર્યક્રમ સંપન્ન થયાં બાદ સમગ્ર દૈવજ્ઞ સમાજનાં બંધુઓ માટે બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું જેમાં પણ મોટી સંખ્‍યામાં સમાજનાં લોકો લાભ લીધો હતો. આ સાથે આગામી વર્ષે ભાદરવા મહિનામાં યોગાનુયોગ રવિવારે વામન જયંતીનો દિવસ હોય તે દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

Related posts

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment