Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આમ તો દર વર્ષે વામન જયંતિના દિવસે આ કાર્યક્રમ યોજવાની પરંપરા ચાલી આવેલી પરંતુ તેમાં બદલાવ લાવી રવિવારે કાર્યક્રમ યોજવામાં આવતા સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારાઆજથી 7 દશક પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા દોઢ દશક થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આકાર્યક્રર્મ યોજી રહ્યું છે, દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. કોરોનાકાળનાં 2 વર્ષ બાદ કરતાં અવિરત દર વર્ષે કાર્યક્રર્મ યોજવામાં આવતો રહ્યો છે. અત્‍યાર સુધી વામન જયંતિનાં દિવસે જ યોજાતા આ કાર્યક્રમમાં ઘણી વખત વર્કિંગ દિવસ આવતો હોવાથી સમાજનાં ઘણાં નોકરિયાતો, વેપાર ધંધાવાળા લોકો ભાગ લઈ શકતાં ન હતાં જેને લઈ સમાજનાં અનેક લોકોની લાગણીને માન રાખી સમાજનાં પ્રમુખ પ્રકાશભાઈ ગજરેએ સમાજના વડીલો તેમજ સાથી સભ્‍યો અને મિત્રમંડળનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ હવેથી ભાદરવા મહિનામાં રવિવારે યોજવાનું નક્કી કર્યું હતું જે મુજબ ગત રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો હતો. એક સાથે 85 જેટલાં લોકોએ શાષાોક્‍તવિધિ અનુસાર દેહ શુદ્ધિની ક્રિયા કરી જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી. જનોઈ બદલવાનો કાર્યક્રમ સંપન્ન થયાં બાદ સમગ્ર દૈવજ્ઞ સમાજનાં બંધુઓ માટે બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું જેમાં પણ મોટી સંખ્‍યામાં સમાજનાં લોકો લાભ લીધો હતો. આ સાથે આગામી વર્ષે ભાદરવા મહિનામાં યોગાનુયોગ રવિવારે વામન જયંતીનો દિવસ હોય તે દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

Related posts

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment