July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

ઘેજ ગામે બગીમાં ગણેશજીની મૂર્તિની વિસર્જનયાત્રા કાઢવામાં
આવતા ગામ લોકોમાં જાવા મળેલો ભારે ઉત્સાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી તાલુકામાં વાજતે ગાજતે ડીજે સંગીતના તાલે અબીલ ગુલાલની છોળ વચ્‍ચે ગણપતિ બાપ્‍પા મોરિયા આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે ગણપતિ બાપાની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં પોલીસ દ્વારા માર્ગો પર ડાયવરઝન આપી ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો.
ચીખલી તાલુકામાં ગણેશ મહોત્‍સવની ધૂમ વચ્‍ચે અનંત ચૌદશના દિવસે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદીના રિવરફ્રન્‍ટ સ્‍થિત ઓવારે વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે વીએચપીના સ્‍વયં સેવકો દ્વારા બેરીકેટ કરાયું હતું. ત્‍યાંથી જ મૂર્તિ લઈને વિસર્જન કરી દેવામાં આવ્‍યું હતું. ચીખલીમાં મોડી રાત સુધી વિસર્જન ચાલતું હોય વિસર્જનના રૂટ પર ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે સામાન્‍ય લોકોને હાલાકી ન પડે તે માટે જરૂરી ડાયવરઝન પણ આપવામાં આવ્‍યું હતું.
ચીખલીમાં કાવેરી નદીના ઓવરે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ડીવાયએસપી એન.પી.ગોહિલ પીઆઈ કે.જે.ચૌધરી સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ચીખલીમાં ડીજે સંગીતના તાલે વાજતે ગાજતે નાચ ગાન સાથે અબીલ ગુલાલની છોળ વચ્‍ચે વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અને માર્ગો અબીલ ગુલાલથી રંગાઈ ગયા હતા. ગણપતિ બાપ્‍પા મોરિયા આવતા વર્ષે લવકર્યા ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. ઘેજ ગામના ભરડા નિશાળફળીયામાં બગીમાં ગણપતિ બાપાને બિરાજમાન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદી ઉપરાંત ઘેજ, મલિયાધરા પાસે ખરેરા નદી તથા અંબિકા નદી સ્‍થાનિક કોતરો અને તળાવોમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરી ભાવભીની વિદાય અપાઈ હતી. અને ગામે ગામ મહાપ્રસાદ પણ યોજાયો હતો.

Related posts

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

Leave a Comment