October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં હોટલ અને બાર સંચાલક દ્વારા પારસલ આપતા હોવાની ઉઠેલી ફરિયાદના આધારે જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર અને એક્‍સાઇઝ વિભાગની ટીમ દ્વારા દાનહની હોટલો અને બારોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હોટલ અને બિયર બાર ચલાવનારના લાયસન્‍સમાં એલ-5 અને એલ-6 લાયસન્‍સધારકોને દારૂ અને બિયર પાર્સલ આપવાની અનુમતિ મળતી નથી તે છતાં પણ કેટલાક હોટલ અને બાર સંચાલકો દ્વારા બારોબાર પાર્સલ આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્‍યું હતું. દરમ્‍યાન ખેડપા ગામ ખાતે આવેલ વૈલીવુડ હોટલ એન્‍ડ બાર, વાસોણા ગામના બિન્‍દ્રાવન બાર અને નરોલી ગામના ફાઈવ થાઉઝન્‍ડ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર રીતે ધંધો કરનારા સંચાલકો હોટલ અને બારનો માલ સીધો અન્‍ય રાજ્‍યમાં સપ્‍લાય કરતા હોય છે. જેના સંદર્ભમાં પ્રશાસનને માહિતી મળી હતી કે, કેટલાક હોટલ એન્‍ડ બાર સંચાલકો તેમનો માલ ગેરકાયદેસર રીતે અન્‍ય રાજ્‍યોમાં સપ્‍લાય કરી રહ્યા છેજેને ધ્‍યાનમાં લઈ દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર અને એક્‍સાઇઝ વિભાગ દ્વારા જિલ્લાની ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, આ હોટલો સિવાય બીજી હોટલો દ્વારા પણ ખુલ્લેઆમ બીજા રાજ્‍યોમાં ગેરકાયદેસર દારુની સપ્‍લાય કરવામાં આવે છે જેઓ સામે પણ પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે. પ્રશાસનની કાર્યવાહીના પગલે ગેરકાયદેસર દારુ અને બિયરનો સપ્‍લાય કરનાર હોટલ સંચાલકો અને બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે.

Related posts

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

Leave a Comment