Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

દીવના ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધ હોવાની પણ ચર્ચાઃ માછીમારોએ ઉચ્‍ચ સ્‍તરે ફિશરીઝ અધિકારી વિરૂદ્ધ કરેલી અનેક ફરિયાદો છતાં સીબીઆઈ અધિકારીઓ ખાલી હાથે ગયા મતલબ..

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : દીવ ખાતે ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના ઘરે આજે દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સી.બી.આઈ.એ દરોડો પાડતાં સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન ઘટના બની હતી. દરોડા દરમિયાન સી.બી.આઈ.ની ટીમને કશું પણ વાંધાજનક નહીં મળ્‍યું હોવાનો દાવો ફિશરીઝ અધિકારી સુકર આંજણીએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સી.બી.આઈ.એ. ‘ખોદ્યો ડુંગર અને નિકળ્‍યો ઉંદર’ એવો ઘાટ થયો હોવાનું ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નજીકના વર્તુળો દ્વારા પણ ઠોકીને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ફિશરીઝ અધિકારી સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધો હોવાની વાતો પણ દીવના વર્તુળોમાં પ્રસરી રહી છે. સુકર આંજણીના વિરૂદ્ધ દીવના કેટલાક માછીમારોએ પણ અનેક ફરિયાદો ઉચ્‍ચ સ્‍તરે કરેલી હોવાની માહિતીઓ પણ વહેતી થઈ રહી છે. નજીકના ભૂતકાળમાં સી.બી.આઈ.ના એક અધિકારીએ તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોને મિટાવી દેવા માટે લાંચ પણ માંગી હતી. પરંતુ સુકર આંજણીએ લાંચ માંગનાર અધિકારીની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે કરી હતી.
દીવના ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નિવાસ સ્‍થાનેસી.બી.આઈ.ની પડેલી રેડથી ભ્રષ્‍ટ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસનનું ભ્રષ્‍ટાચાર વિરોધી દળ પણ કેટલાક અધિકારીઓ ઉપર ત્રાટકે એવા અણસાર પણ મળી રહ્યા છે.

Related posts

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

Leave a Comment