Vartman Pravah
Breaking Newsદમણદેશ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

16 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્‍પીકર રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે યોજાયેલું ‘ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન(એઆઈએમજેએફ’નું રાષ્ટ્રીય અધિવેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન 16 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ હજ હાઉસ, મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્‍પીકર શ્રી રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવ્‍યું હતું.
અત્રે આયોજીત સંમેલનમાં વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં શ્રી ઈકબાલ ઓફિસરને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્‍યા હતા. આ નિમણૂક તેમની ત્રીજી ટર્મ માટે બિનહરીફ કરવામાં આવી હતી.
એક દિવસીય અધિવેશન બાદ નવનિયુક્‍ત પ્રમુખ શ્રી ઈકબાલ ઓફિસરે પોતાની રાષ્ટ્રીય ટીમની પુનઃ રચના કરતી વખતે સમગ્ર મેમણ સમાજના સંગઠનનારાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે દમણના શ્રી મજીદ લધાણીની નિમણૂક કરી હતી.
શ્રી ઇકબાલ ઓફિસરની અગાઉની બે ટર્મ દરમિયાન શ્રી મજીદ લધાણીને વલસાડ જિલ્લાના ઝોનલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો, જે હાલમાં ચાલુ રહેશે અને હવે આ સાથે તેમને રાષ્ટ્રીય પ્રવક્‍તાનો ચાર્જ પણ સોંપવામાં આવ્‍યો છે.
ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન એ દેશભરમાં 550 મેમણ જમાતનું સમૂહ સંગઠન છે. મેમણ સમુદાયની દેશભરમાં અંદાજે 16 લાખની વસ્‍તી છે અને લગભગ 550 મેમણ જમાત ભારતના વિવિધ રાજ્‍યો અને પ્રાંતોમાં કાર્યરત છે. શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્‍વ હેઠળ આ સંસ્‍થા દેશવ્‍યાપી સમાજ સેવાના કાર્યોમાં વાર્ષિક દસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે અને દર વર્ષે આ બજેટમાં વધારો થતો રહે છે.
અત્રે યાદ રહે કે, ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન માત્ર મેમણ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે કામ કરી રહ્યું છે. કુદરતી આફતો માટે તેમની પોતાની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્રણાલી છે જે સતત કામ કરે છે. આમ ઓલ ઇન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્‍વમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને આગળ રાખીને ઘણી સમાજ સેવાઓ કરી રહ્યું છે.

Related posts

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

નવસારી જિલ્લાકક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

Leave a Comment