April 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લક્ષ્મણને આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ખાંડાની ધાર ઉપર ચાલવા પડનારી ફરજઃ સંગઠનના વેરવિખેર માળખાને સીધું કરવા તાકાત લગાવવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : દીવ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી મોહનભાઈ લક્ષ્મણની વરણીની જાહેરાત આજે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી હતી. શ્રી મોહનભાઈ લક્ષ્મણની દીવ જિલ્લા ભાજપના કર્ણધાર તરીકે નિમણૂક થતાં પાયાના કાર્યકરોમાં પણ આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ પેદા થયું છે.
દીવ જિલ્લા ભાજપના નિવર્તમાન પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે ભાજપ સંગઠનના સંવિધાનથી વિપરીત 9 વર્ષ સુધી અધ્‍યક્ષ તરીકેની ફરજ બજાવી છે. હવે દીવ જિલ્લા ભાજપની કમાન શ્રી મોહનભાઈ લક્ષ્મણને મળતાં તેમની સ્‍થિતિ આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખતાં ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી થવાની છે. કારણ કે, દીવ જિલ્લા ભાજપનું માળખું લગભગ વેરવિખેર જેવું છે. તેમાં સુધારો-વધારો કરવાની કપરી જવાબદારી શ્રી મોહનભાઈ લક્ષ્મણે ઉઠાવવી પડશે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ જિલ્લાભાજપ પ્રભારી શ્રી જીજ્ઞેશ પટેલ, ગુજરાત ભાજપ ઓ.બી.સી. મોર્ચાના પ્રભારી અને પ્રદેશના કદાવર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ સહિત પ્રદેશનું સમગ્ર માળખું નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી મોહનભાઈ લક્ષ્મણની સાથે હોવાથી આગામી ચૂંટણીમાં દીવ જિલ્લો નિર્ણાયક ભૂમિકા ભજવશે એવી આશા પણ પ્રબળ બની છે.

Related posts

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

Leave a Comment