December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લક્ષ્મણને આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ખાંડાની ધાર ઉપર ચાલવા પડનારી ફરજઃ સંગઠનના વેરવિખેર માળખાને સીધું કરવા તાકાત લગાવવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : દીવ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી મોહનભાઈ લક્ષ્મણની વરણીની જાહેરાત આજે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી હતી. શ્રી મોહનભાઈ લક્ષ્મણની દીવ જિલ્લા ભાજપના કર્ણધાર તરીકે નિમણૂક થતાં પાયાના કાર્યકરોમાં પણ આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ પેદા થયું છે.
દીવ જિલ્લા ભાજપના નિવર્તમાન પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે ભાજપ સંગઠનના સંવિધાનથી વિપરીત 9 વર્ષ સુધી અધ્‍યક્ષ તરીકેની ફરજ બજાવી છે. હવે દીવ જિલ્લા ભાજપની કમાન શ્રી મોહનભાઈ લક્ષ્મણને મળતાં તેમની સ્‍થિતિ આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખતાં ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી થવાની છે. કારણ કે, દીવ જિલ્લા ભાજપનું માળખું લગભગ વેરવિખેર જેવું છે. તેમાં સુધારો-વધારો કરવાની કપરી જવાબદારી શ્રી મોહનભાઈ લક્ષ્મણે ઉઠાવવી પડશે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ જિલ્લાભાજપ પ્રભારી શ્રી જીજ્ઞેશ પટેલ, ગુજરાત ભાજપ ઓ.બી.સી. મોર્ચાના પ્રભારી અને પ્રદેશના કદાવર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ સહિત પ્રદેશનું સમગ્ર માળખું નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી મોહનભાઈ લક્ષ્મણની સાથે હોવાથી આગામી ચૂંટણીમાં દીવ જિલ્લો નિર્ણાયક ભૂમિકા ભજવશે એવી આશા પણ પ્રબળ બની છે.

Related posts

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સહ-સદસ્‍ય સચિવ અમિત પી.કોકાટેના માર્ગદર્શન હેઠળ કચીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાનૂની શિબિરમાં એસસી/એસટી એટ્રોસીટી એક્‍ટ અને શિક્ષણના અધિકાર વિશે આપવામાં આવેલી માહિતી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

Leave a Comment