April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભાણ ગામના ભુથાડ ફળીયા વિસ્‍તારમાં સાંજે પાંચેક વાગ્‍યાના અરસામાં જ દીપડો નજરે પડતા આ અંગેની જાણ સરપંચ દ્વારા કરાતા આરએફઓ આકાશભાઈની સુચનાથી તાત્‍કાલિક આ ભુથાડ ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવી દેવામાં આવ્‍યું હતું. પીપલગભાણ ગામ સાદકપોરને અડીને જ આવેલ છે. અને સાદકપોરમાં દીપડાના એક જ રાતમાં માનવ અને પશુ પરના ઉપરાછાપરી હુમલા બાદ વન વિભાગ દ્વારા તાબડતોડ દાદરા ફળીયા, ચાડીયા, ગોલવાડ સહિતના વિસ્‍તારમાં પાંચેક જેટલા પાંજરા ગોઠવી મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. વધુમાં દાદરા ફળિયામાં દીપડાની હિલચાલ પર નજર રાખવા કેમેરા પણ ગોઠવાયા છે પરંતુ કેમેરામાં દીપડાની કોઈ હિલચાલ જોવા મળી નથી અને બીજા વિસ્‍તારમાં દીપડો નજરે પડી રહ્યો છે ત્‍યારે હાલે નવરાત્રી પણ હોયરાત્રિ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી થવા પામી છે.
પીપલગભાણ ગામે દિપડો નજરે પડતા સાદકપોરમાં ગોઠવાયેલા પાંચ પૈકી એક પાંજરાને પીપલગભાણમાં ગોઠવવામાં આવ્‍યું હતું. ત્‍યારે વનવિભાગ પાસે પાંજરાની પણ અછત સર્જાઈ તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
સાદકપોરના સરપંચ સંજયભાઈના જણાવ્‍યાનુસાર અમારા પાડોશના પીપલગભાણ ગામમાં દીપડાની અવર જવર સાથે ગતરાત્રે સાદકપોરના બામણિયા ફળીયા અને ખેરગામ રોડ પર માંહ્યાવંશી મહોલ્લામાં સ્‍થાનિકોને દીપડો જોવા મળ્‍યો હતો. ગામા એક કરતાં વધુ દીપડા હોય તેમ લાગે છે. ત્‍યારે દીપડા ઝડપથી પાંજરે પુરાઈ તે માટે અમે વન વિભાગ સાથે સતત સંકલન રાખી રહ્યા છે. અને લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ગામમાં હટવાળા પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

vartmanpravah

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment