Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભાણ ગામના ભુથાડ ફળીયા વિસ્‍તારમાં સાંજે પાંચેક વાગ્‍યાના અરસામાં જ દીપડો નજરે પડતા આ અંગેની જાણ સરપંચ દ્વારા કરાતા આરએફઓ આકાશભાઈની સુચનાથી તાત્‍કાલિક આ ભુથાડ ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવી દેવામાં આવ્‍યું હતું. પીપલગભાણ ગામ સાદકપોરને અડીને જ આવેલ છે. અને સાદકપોરમાં દીપડાના એક જ રાતમાં માનવ અને પશુ પરના ઉપરાછાપરી હુમલા બાદ વન વિભાગ દ્વારા તાબડતોડ દાદરા ફળીયા, ચાડીયા, ગોલવાડ સહિતના વિસ્‍તારમાં પાંચેક જેટલા પાંજરા ગોઠવી મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. વધુમાં દાદરા ફળિયામાં દીપડાની હિલચાલ પર નજર રાખવા કેમેરા પણ ગોઠવાયા છે પરંતુ કેમેરામાં દીપડાની કોઈ હિલચાલ જોવા મળી નથી અને બીજા વિસ્‍તારમાં દીપડો નજરે પડી રહ્યો છે ત્‍યારે હાલે નવરાત્રી પણ હોયરાત્રિ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી થવા પામી છે.
પીપલગભાણ ગામે દિપડો નજરે પડતા સાદકપોરમાં ગોઠવાયેલા પાંચ પૈકી એક પાંજરાને પીપલગભાણમાં ગોઠવવામાં આવ્‍યું હતું. ત્‍યારે વનવિભાગ પાસે પાંજરાની પણ અછત સર્જાઈ તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
સાદકપોરના સરપંચ સંજયભાઈના જણાવ્‍યાનુસાર અમારા પાડોશના પીપલગભાણ ગામમાં દીપડાની અવર જવર સાથે ગતરાત્રે સાદકપોરના બામણિયા ફળીયા અને ખેરગામ રોડ પર માંહ્યાવંશી મહોલ્લામાં સ્‍થાનિકોને દીપડો જોવા મળ્‍યો હતો. ગામા એક કરતાં વધુ દીપડા હોય તેમ લાગે છે. ત્‍યારે દીપડા ઝડપથી પાંજરે પુરાઈ તે માટે અમે વન વિભાગ સાથે સતત સંકલન રાખી રહ્યા છે. અને લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ગામમાં હટવાળા પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

શ્રી એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍ટલ સ્‍કૂલ કિલ્લા પારડી ખાતે વિશ્વ સિકલ સેલ રોગ જાગૃતિ દિવસ અંતર્ગત સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર

vartmanpravah

Leave a Comment