Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

12 વાગ્‍યા પછી ગરબા બંધનું પોલીસનું ફરમાન હતું તે હવે હટી જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રવિવારથી વાપી સહિત તમામ વિસ્‍તારોમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. પરંતુ રાત્રે 12 વાગે ગરબા બંધ કરવાનું પોલીસે આપેલ ફરમાનતી ખેલૈયાઓને ખુંચતું હતું. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગરબા ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોએ ગૃહમંત્રીની જાહેરાતને આવકારી હતી.
નવરાત્રીના પ્રારંભથી ગરબા ગાવાની લાઉડ સ્‍પિકરની રાત્રે 12 વાગ્‍યાની લિમિટ સરકારે અને પોલીસે જાહેર કરી હતી. તેથી ખેલૈયા આવાત-નિયમ ઓછો જચતો હતો. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગુજરાતભરમાં ગરબા ચાલુ રાખી શકાશે તેવું ફરમાન જાહેર કર્યું હતું. તેનો પ્રતિભાવ વાપીમાં આનંદના માહોલ અને આવકારમાં પરિણમ્‍યો હતો. વાપી ભાઠેલા પ્‍લોટ ઉપર આયોજીત રમઝટ ગરબા મહોત્‍સવના આયોજક સમીર પટેલ સહિત વાપીના અન્‍ય ગરબા આયોજકોએ ગૃહમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. વાપીના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

Leave a Comment