October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : જ્‍યારથી પ્રશાસન દ્વારા કામદારો માટેના લઘુત્તમ વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી એક પછી એક કંપનીના કામદારો, કર્મચારીઓ દ્વારા હડતાળ કે વિરોધ પ્રદર્શન તથા લેબર ઓફિસરને મળીને તેમની રજૂઆતો કરવાનો દૌર ચાલુ રહ્યો છે. જેની કડીમાં દાદરા નગર હવેલીમાં આવેલી ખુશ્‍બુ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ તેમના પગાર વધારા મુદ્દે ગત 9 ઓક્‍ટોબર, 2023ના રોજ હડતાળ પાડી વિરોધ નોંધાવ્‍યો હતો. હડતાળથી ખિજાયેલા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કેટલીક મહિલા કર્મચારીઓને નોકરી પરથી છૂટી કરી દેવામાં આવી હતી. આ બાબતે મહિલાઓ કામદારોએ અન્‍ય કર્મચારીઓ સાથે મળી એમની સમસ્‍યા બાબતે રજૂઆત કરવા દાનહના લેબર ઓફિસરને મળવા ગયા હતા. જેમાં મહિલા કામદારોએ જણાવ્‍યું હતું કે, અમે જે કંપનીમાં કામ કરીએ છીએ ત્‍યાં રોજના ફક્‍ત 250 રૂપિયા મુજબ પગાર આપવામાં આવે છે, અને જો સંજોગોવસાત કોઈક દિવસ રજા પાડવામાં આવે તો એના કરતા પણ ઓછો પગાર આપે છે. જેથી અમને યોગ્‍ય ન્‍યાય મળવો જોઈએઅને સરકારી નિયમ મુજબ પગાર મળે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.
લેબર ઓફિસરે પણ કંપનીના લેબર કોન્‍ટ્રાક્‍ટરને રૂબરૂ બોલાવી તેઓ સાથે ચર્ચા કરી કામદારોના પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવવાની સલાહ અને બાંહેધરી આપી હતી.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્‍ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment