December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

યોગ્‍યતા-આધારિત શિક્ષણ અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્‍સાહન મળવાની સંભાવનાઃ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERTના સંયુક્‍ત પ્રયાસથી કરાયેલો સર્વે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERTના સંયુક્‍ત પ્રયાસથી સફળતાપૂર્વક ‘‘ઓળખ” મૂલ્‍યાંકન સર્વે હાથ ધર્યો હતો. આ પ્રક્રિયામાં, ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્‍તરનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. NCERTએ પ્રથમ રાજ્‍ય શિક્ષણ સિદ્ધિ સર્વેક્ષણ (SEAS)હાથ ધર્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 1.1 કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ હેઠળ આ મહત્‍વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશમાંથી આ સર્વેમાં ભાગ લેનાર 239 શાળાઓના લગભગ 6730 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં સરકારી, ખાનગી, અર્ધ-સરકારી, કેન્‍દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જેવી તમામ પ્રકારની શાળાઓએ ભાગ લીધો હતો. જેનાથી વિવિધ શૈક્ષણિક માધ્‍યમોમાં શિક્ષણના ધોરણોની સમજ મળશે.
આ સર્વેમાં 239 નિષ્‍ણાંત ફિલ્‍ડ ઇન્‍વેસ્‍ટિગેટર્સ અને 239 નિરીક્ષકોને કામે લગાડવામાં આવ્‍યા હતા, જેઓ શાળા કક્ષાએ સમગ્ર સર્વેનું મોનિટરિંગ કરતા હતા. આ સાથે NCERTની ટીમે પણ શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં મદદનીશ શિક્ષણ નિયામક, તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO), (DIET) ફેકલ્‍ટી અને (BRC) ટીમો જેમણે પ્રક્રિયામાં મદદ કરી હતી. તેમણે રૂબરૂ શાળાની મુલાકાત લીધી હતી, સર્વેની કામગીરી નિહાળી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આ કસોટી શિક્ષણમાં નવીનતા અને ગુણવત્તા તરફનું એક મહત્‍વપૂર્ણ પગલું છે. સ્‍ટેટ એજ્‍યુકેશનલ એચિવમેન્‍ટ સર્વે (SEAS)એ બેઝલાઇન એસેસમેન્‍ટ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે જે ગોખવાની પ્રક્રિયાના બદલે સક્ષમતા-આધારિત શિક્ષણ(Competency Based Education) તરફના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. યોગ્‍યતા-આધારિત શિક્ષણ અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્‍સાહન મળવાની સંભાવના છે. ઓળખ મૂલ્‍યાંકનના પરિણામોથી અમને એ જોવા માટે પણ મદદ મળશે કે આપણા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણનું સ્‍તર દેશના સ્‍તર સાથે કેવી રીતે મેળ ખાય છે.

Related posts

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

Leave a Comment