April 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની શ્રીમતી એમ.જી.લુણાવત શાળામાં નાગરિક કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેર સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે કુપોષણ નિવારણ કરવા માટે અને સંતુલિત ભોજન લેવા માટે આકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કર્યું હતું. ત્‍યારબાદ ઇન્‍ડિયન કાઉન્‍સિલ કોચ ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ નિવારણ કરવા માટે જરૂરી પોષક તત્‍વ જેવા કે પ્રોટીન, કેલેરી, વિટામીન એ, લોહતત્‍વ, આયોડીન જેવા મિનરલ્‍સ, વિટામિન પોષક તત્‍વ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી અને યોગ્‍ય આહાર સંતુલિત ભોજન અને સસ્‍તા અને સરળ આહાર અંગે જાણકારી આપીહતી. બાદમાં શાળાના બાળકો માટે સંતુલિત આહાર અંગે સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સિનિયર મેનેજર શ્રી પુરસોત્તમ શાહુ, પ્રોડક્‍શન ઈજનેર શ્રી હિમાંશુ પટેલ , જીઆર શ્રી નિમેશ, કલાવતી મેનેજર શ્રી કન્‍હૈયાલાલ પરમાર, જનરલ મેનેજર શ્રી બામ્‍બે રજનીશ ઠાકુર તથા કોમર્શિયલ મેનેજર દ્વારા વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા અને શાળાના દરેક બાળકને પૌષ્ટિક ફુડ પેકેટ આપવામાં આવ્‍યા હતા.
શ્રીમતી કલ્‍પના ભટ્ટે દરેક આમંત્રિતોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

Leave a Comment