Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની શ્રીમતી એમ.જી.લુણાવત શાળામાં નાગરિક કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેર સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે કુપોષણ નિવારણ કરવા માટે અને સંતુલિત ભોજન લેવા માટે આકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કર્યું હતું. ત્‍યારબાદ ઇન્‍ડિયન કાઉન્‍સિલ કોચ ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ નિવારણ કરવા માટે જરૂરી પોષક તત્‍વ જેવા કે પ્રોટીન, કેલેરી, વિટામીન એ, લોહતત્‍વ, આયોડીન જેવા મિનરલ્‍સ, વિટામિન પોષક તત્‍વ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી અને યોગ્‍ય આહાર સંતુલિત ભોજન અને સસ્‍તા અને સરળ આહાર અંગે જાણકારી આપીહતી. બાદમાં શાળાના બાળકો માટે સંતુલિત આહાર અંગે સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સિનિયર મેનેજર શ્રી પુરસોત્તમ શાહુ, પ્રોડક્‍શન ઈજનેર શ્રી હિમાંશુ પટેલ , જીઆર શ્રી નિમેશ, કલાવતી મેનેજર શ્રી કન્‍હૈયાલાલ પરમાર, જનરલ મેનેજર શ્રી બામ્‍બે રજનીશ ઠાકુર તથા કોમર્શિયલ મેનેજર દ્વારા વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા અને શાળાના દરેક બાળકને પૌષ્ટિક ફુડ પેકેટ આપવામાં આવ્‍યા હતા.
શ્રીમતી કલ્‍પના ભટ્ટે દરેક આમંત્રિતોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થયો: વલસાડની યુવતીએ દિલ્‍હીમાં રમાયેલી રાઈફલ શૂટીંગ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય ફલક પર ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

Leave a Comment