July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

સેલવાસ ન.પા.એ બહુમાળીના ખુલ્લા મેદાનમાં દિવાળીનો સામાન વેચવા માટે લાઈટ તથા અન્‍ય સુવિધાઓ સાથે જગ્‍યાની કરેલી ફાળવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના બજારોમાં દિવાળીના તહેવાર નિમિતે વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર પાથરણાં પાથરી વિવિધ ચીજવસ્‍તુઓનું વેચાણ કરનારા વિક્રેતાઓને ઉઠી જવા જણાવાયું હતું. પાલિકા તંત્ર દ્વારા બે દિવસથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છતાં પણ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ ઉપર બેસી ચીજવસ્‍તુઓનું વેચાણ કરી રહ્યા હતા. સૂચનાનું પાલન નહીં કરાતા આજે પોલીસ ટીમના સહયોગથી સેલવાસ ન.પા.ના કર્મચારીઓએ વેચવામાં આવી રહેલો સરસામાન જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફટાકડાની દુકાનો માટે અને દિવાળીનો સામાન વેચવા સંદર્ભે કલેક્‍ટરશ્રીની અધ્‍યક્ષતામાં અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તાકીદ કરવામાં આવી હતી કે, ફટાકડાના સ્‍ટોલ કે દિવાળીને લગતો સામાન ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર નહીં વેચવા તાકીદ કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા દિવાળી તહેવાર દરમ્‍યાન ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાનમાં રાખી બહુમાળીના ખુલ્લા મેદાનમાંદિવાળીનો સામાન વેચવા માટે જગ્‍યા ફાળવવામાં આવી છે. જ્‍યાં લાઈટની સુવિધા સાથે અન્‍ય સુવિધાઓની પણ ઉભી કરવામાં આવી છે. છતાં પણ દિવાળીનો સામાન વેચનારાઓ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર જ સામાન વેચવા બેસી ગયા હતા, જેથી પાલિકા દ્વારા આવા સામાન વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને સાથે સમજાવવામાં પણ આવ્‍યા હતા કે જે કોઈએ પણ દિવાળીનો સામાન વેચવો હોય તો બહુમાળીના મેદાનમાં જઈને ત્‍યાં સ્‍ટોલ લગાવી શકે છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

Leave a Comment