(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સેલવાસના બે પટેલાદો સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્જો કર્યો હતો. જેને આજે દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ મામલતદાર શ્રી ટી.એસ.શર્માના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચી અહીં ગેરકાયદે તાણી બાંધેલ 16 જેટલી દુકાનો અને 8 જેટલા ઢાબાઓનો દૂર કરવામાં આવ્યા હતા.
પ્રશાસન દ્વારા પ્રદેશની જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે, સરકારી જમીન, જગ્યા, સ્થાન, નહેર વગેરે ઉપર ગેરકાયદે કરવામાં આવેલું અતિક્રમણ તેઓ હટાવે નહીંતર પ્રશાસન દ્વારા તેને દૂર કરાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.