Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સેલવાસના બે પટેલાદો સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્‍જો કર્યો હતો. જેને આજે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ મામલતદાર શ્રી ટી.એસ.શર્માના નેતૃત્‍વ હેઠળ ટીમ દ્વારા સ્‍થળ ઉપર પહોંચી અહીં ગેરકાયદે તાણી બાંધેલ 16 જેટલી દુકાનો અને 8 જેટલા ઢાબાઓનો દૂર કરવામાં આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા પ્રદેશની જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે, સરકારી જમીન, જગ્‍યા, સ્‍થાન, નહેર વગેરે ઉપર ગેરકાયદે કરવામાં આવેલું અતિક્રમણ તેઓ હટાવે નહીંતર પ્રશાસન દ્વારા તેને દૂર કરાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ સ્‍થિતિનો પંચક્‍યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલ

vartmanpravah

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment