Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના એક ફળિયામાં નાની બાળકી સાથે છેડતી કરવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદમાં દાનહ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ત્રણ દિવસના રિમાન્‍ડ પર મોકલવામાં આદેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના બાલાજી જેમ્‍સની સામેની ચાલ, ઉલ્‍ટન ફળિયામાં રહેતો ચન્‍દ્રન ઉદય યાદવ (ઉ.વ.38) મૂળ રહેવાસીબિહાર. જેણે ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કરી હોવાની ફરિયાદ એની માતાએ નોંધાવી હતી. સેલવાસ પોલીસે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી અને બાળકીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા હતા.
આરોપી અને બાળકીના પરિવાર વચ્‍ચે સારા સબંધ હતા. પરંતુ એક દિવસ આરોપી ચન્‍દ્રન યાદવની નિયત બગડતાં બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો અને ચોકલેટ આપી એની સાથે છેડતી કરી હતી. ત્‍યારબાદ બાળકીને એના ઘરે મુકી ચાલી ગયો હતો, બાળકીની માતાને શંકા જતાં તપાસ કરતા એમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્‍યારબાદ તાત્‍કાલિક પોલીસને જાણ કર્યા બાદ પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મોડી સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપી ચન્‍દ્રન યાદવના ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કરી જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

Leave a Comment