April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: કપરાડા તાલુકાના સુખાલા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ બહેરામભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ બહેરામભાઈ પટેલે આજરોજ સુખાલા ગામની પ્રજા માટે નિઃશુલ્‍ક મોક્ષરથની સુવિધા ઉપલબ્‍ધ કરી હતી. સુખલાગામ નિશાણા ફળિયું ખાતે રહેતા શ્રી દીપકભાઈ અને શ્રી ડાહ્યાભાઈએ એમના સ્‍વ.માતા ઝમકુબેન બહેરામભાઈ અને સ્‍વ.પિતા બહેરામભાઈ ભગુભાઈ પટેલના સ્‍મરણાર્થે સુખાલા ગામની જનતા માટે મોક્ષ રથની સેવા અર્પણકરી હતી. આ લોકાર્પણ વિધિમાં પરિવારની પૌત્રી અને હાલ તાલુકા પંચાયતનો સભ્‍ય કુંજલબેન દીપકભાઈ પટેલે સુખાલા ગામની જનતાને મારુ ગામ એ મારો સમાજ અને પરિવારનો સંદેશો આપી દરેક કાર્યમાં હર હંમેશ નિઃસ્‍વાર્થ સેવા આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુખાલા ગામના તેમ જ આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment