October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં આટિયાવાડ સહિત દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે આટિયાવાડ ગ્રામ પંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ મુખ્‍ય અતિથિ તરીકે અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’થી આટિયાવાડ સહિત તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પોતાનો સંકલ્‍પ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશે સર કરેલી વિકાસની નવી નવી ઊંચાઈઓની પણ જાણકારી આપી હતી.
ગ્રામસભાના અધ્‍યક્ષતરીકે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે 2024-‘25ના નાણાંકીય વર્ષ માટે કરેલા આયોજનની રૂપરેખા પ્રગટ કરી હતી. તેમણે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી)-2024-‘25માં લેવાનારા રોડ, ગટર, લાઈટ, પાણી સહિતના પ્રસ્‍તાવિત કામોને સમયસર પૂર્ણ કરવા જિલ્લા પંચાયત તંત્રના સહકારની પણ અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેમણે આટિયાવાડ ગ્રામ પંચાયતને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા માટે પોતાના સામર્થ્‍ય અનુસાર વિકાસના કામોને આગળ ધપાવવાની પણ તત્‍પરતા દર્શાવી હતી.
આજની ગ્રામસભામાં મેડિકલ ઓફિસર ડો. પ્રતાપે આરોગ્‍ય સંબંધી વિવિધ જાણકારીઓ આપી હતી. કૃષિ વિસ્‍તરણ અધિકારી શ્રી અર્જુન પટેલે કૃષિ, બાગાયતી તથા એન.આર.એલ.એમ.ના શ્રી યોગેશભાઈએ ગ્રામીણ આજીવિકા મિશન અને બેંક ઓફ બરોડા તથા એચ.ડી.એફ.સી. બેંકના પ્રતિનિધિઓએ ખેડૂત વિકાસ પત્ર તથા કૃષિ ધિરાણના સંદર્ભમાં જાણકારી આપી હતી.
આ પ્રસંગે ટોરેન્‍ટ પાવરના શ્રી જોષી, સમાજ કલ્‍યાણ વિભાગથી શ્રી પંકજભાઈ, શ્રી મહાવીરભાઈ તથા આઈ.સી.ડી.એસ.થી સુશ્રી પ્રિયંકા, વન વિભાગથી શ્રી દિવ્‍યેશભાઈ, આઈ.ટી.આઈ.થી શ્રી પ્રજ્ઞેશભાઈ વગેરે તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

Leave a Comment