(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસના અયપ્પા મંદિર નજીક રિંગ રોડ પાસેથી વહેતી ગટરમાંથી ગંદું અને દુર્ગંધયુક્ત પાણી બહાર ઉભરાતા ભારે ગંદકીનો માહોલ જોવા મળી રહી છે. આ રસ્તા ઉપરથી મોટી સંખ્યામાં વાહનચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે, જેઓને ગંદકી અને દુર્ગંધયુક્ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોની માંગ છે કે લોકો રોગચાળાના ભરડામાં નહીં સપડાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્ત પાણીથી ઉભરાતી ગટરની યોગ્ય રીતે સાફસફાઈ કરવામાં આવે.