October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: આજે ‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ નિમિત્તે’ માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સિટી ખાતે ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું જીવંત પ્રસારણ દીવના માછીમારો નિહાળી શકે તે માટે દીવ જિલ્લા ફિશરીઝ વિભાગ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ અવસરે દીવના વણાંકબારા શ્રી મહાસાગર ફિશરીઝ કો.-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના હોલ ખાતે સવારે દશ(10) કલાકે માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સીટી ખાતે આયોજિત ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. આ પ્રસારણ નિહાળવા મોટી સંખ્‍યામાં વણાંકબારાના માછીમારો એકત્રિત થયા હતા.
અમદાવાદ ખાતે આયોજિત આ ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરુષોત્તમરૂપાલા અને વિશ્વના 10 દેશના પ્રતિનિધિ મંડળો અને ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ, તેમજ ભારતના અન્‍ય રાજ્‍યોના મંત્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કોન્‍ફરન્‍સ દરમિયાન ભારતના કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ માછીમારોના હિતાર્થે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ અવસરે દીવના માછીમારોએ પણ પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી માહિતી મેળવી હતી જે ભવિષ્‍યમાં તેઓને ઉપયોગી નિવડશે.

Related posts

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

Leave a Comment