Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: આજે ‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ નિમિત્તે’ માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સિટી ખાતે ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું જીવંત પ્રસારણ દીવના માછીમારો નિહાળી શકે તે માટે દીવ જિલ્લા ફિશરીઝ વિભાગ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ અવસરે દીવના વણાંકબારા શ્રી મહાસાગર ફિશરીઝ કો.-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના હોલ ખાતે સવારે દશ(10) કલાકે માછીમારો માટે અમદાવાદ સાયન્‍સ સીટી ખાતે આયોજિત ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. આ પ્રસારણ નિહાળવા મોટી સંખ્‍યામાં વણાંકબારાના માછીમારો એકત્રિત થયા હતા.
અમદાવાદ ખાતે આયોજિત આ ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરુષોત્તમરૂપાલા અને વિશ્વના 10 દેશના પ્રતિનિધિ મંડળો અને ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ, તેમજ ભારતના અન્‍ય રાજ્‍યોના મંત્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કોન્‍ફરન્‍સ દરમિયાન ભારતના કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ માછીમારોના હિતાર્થે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ અવસરે દીવના માછીમારોએ પણ પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી માહિતી મેળવી હતી જે ભવિષ્‍યમાં તેઓને ઉપયોગી નિવડશે.

Related posts

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment