Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસીના પોલીસ મથકે સુરત રેન્‍જ આઈજી વાર્ષિક ઈન્‍સ્‍પેકશન કરવા વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્‍યા હતા. વાપી જીઆઈડીસી પોલીસ મથકનું ઈન્‍સ્‍પેકશન કર્યા બાદ રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને વાપી વીઆઈએ ઓડિટોરીયમ લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપી જીઆઈડીસી પોલીસ મથકનું રેન્‍જ આઈજીએ ઈન્‍સ્‍પેકશન કર્યા બાદ વાપી વીઆઈએ હોલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ અને સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વાપીમાં ફલાઈ ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્‍યા સહિત વિવિધ અમુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વાપી વિસ્‍તારમાં આરઓબીની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્‍યા અંગેપાલિકાના પ્રમુખ કાશ્‍મીરાબેન શાહે જરૂરી વિકલ્‍પો અંગે ચર્ચા કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વલસાડ જિલ્લાના અગ્રણીઓએ બિરદાવી હતી. વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા અને તેમની ટીમ દ્વારા ડુંગરા વિસ્‍તારમાં 6 વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્‍કર્મ અને હત્‍યાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા બદલ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્‍યા હતા. પોલીસ મથકમાં લેન્‍ડલાઈની જગ્‍યાએ મોબાઈલ નંબર ફાળવવા અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરત રેન્‍જ આઈ વી. ચંદ્રશેખરે અગ્રણીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્‍યા હતા.
લોકદબારમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ સહિત વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ તથા સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર લોક દરબારનું સંચાલન વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવેએ કર્યું હતું.

Related posts

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

વાપી-વલસાડમાં સૃષ્‍ટિના સર્જનહાર જગન્નાથભક્‍તોને દર્શન આપવા શેરીઓમાં પધાર્યા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ સાથે કરેલી પ્રાસંગિક મુલાકાત.

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

Leave a Comment