March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર સેલવાસ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે સૌપ્રથમ ગાયત્રી મંદિરથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ કળશયાત્રા કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. જ્‍યાં પોથી પૂજા કરી કથાકારશ્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શ્રીમદ્‌ ભાગવત કથાનો સમય દરરોજ સાંજે 04:00 વાગ્‍યાથી રાત્રે 08:00 વાગ્‍યા સુધીનો છે. જ્‍યારે 06 એપ્રિલના રોજ પુર્ણાહૂતી કરવામાં આવશે. ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનનો ઉદ્દેશ્‍યદાનહમાં વસતા સમાજના પ્રવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ છે.

Related posts

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment