December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર સેલવાસ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે સૌપ્રથમ ગાયત્રી મંદિરથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ કળશયાત્રા કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. જ્‍યાં પોથી પૂજા કરી કથાકારશ્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શ્રીમદ્‌ ભાગવત કથાનો સમય દરરોજ સાંજે 04:00 વાગ્‍યાથી રાત્રે 08:00 વાગ્‍યા સુધીનો છે. જ્‍યારે 06 એપ્રિલના રોજ પુર્ણાહૂતી કરવામાં આવશે. ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનનો ઉદ્દેશ્‍યદાનહમાં વસતા સમાજના પ્રવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ છે.

Related posts

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

પારડી એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

vartmanpravah

Leave a Comment