Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ના ભાગીદારો તથા લાભાર્થીઓને વર્ચ્‍યુઅલી સંબોધન કરી યાત્રા અને નવી યોજનાઓનું લોન્‍ચિંગ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આવતી કાલે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો પ્રારંભ થશે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ અને વિવિધ નવી યોજનાઓનું લોન્‍ચિંગ કરાવશે.
દમણમાં 1લી ડિસેમ્‍બરે દુણેઠા ગ્રામ પંચાયતથી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું તા.14મી ડિસેમ્‍બરે પરિયારી ગ્રામ પંચાયત ખાતે સમાપન થશે.
આવતી કાલે સવારે 10:30 કલાકે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત લોન્‍ચિંગ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ સામાજિક તથા રાજકીય આગેવાનોને ઉપસ્‍થિત રહેવા અતિરિક્‍ત જિલ્લા મેજીસ્‍ટ્રેટ,દમણે આમંત્રણ પાઠવ્‍યું છે.

Related posts

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

Leave a Comment