પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના ભાગીદારો તથા લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી યાત્રા અને નવી યોજનાઓનું લોન્ચિંગ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આવતી કાલે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અને વિવિધ નવી યોજનાઓનું લોન્ચિંગ કરાવશે.
દમણમાં 1લી ડિસેમ્બરે દુણેઠા ગ્રામ પંચાયતથી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું તા.14મી ડિસેમ્બરે પરિયારી ગ્રામ પંચાયત ખાતે સમાપન થશે.
આવતી કાલે સવારે 10:30 કલાકે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ સામાજિક તથા રાજકીય આગેવાનોને ઉપસ્થિત રહેવા અતિરિક્ત જિલ્લા મેજીસ્ટ્રેટ,દમણે આમંત્રણ પાઠવ્યું છે.