July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

કરણી સેના, હિંદુ સંગઠનોએ આક્રોશ સાથે રેલી કાઢી
વલસાડ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રાજસ્‍થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ સુખદેવસિંહ ગોગામડીની મંગળવારે તેમના નિવાસ સ્‍થાન ધનાધન ગોળીઓ મારી કરપીણ હત્‍યા કરાઈ હતી. જેના પડઘા પુરા દેશમાં પડયા છે. જયપુર-ઉદયપુર સહિત બુધવારે રાજસ્‍થાન બંધનું એલાન આપી લાખો લોકો રોડ ઉપર ઉતરી પડી હત્‍યારાઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર આક્રોશ ભભુકી ઉઠયો હતો. આ ઘટનાના પ્રત્‍યાઘાત વાપી વલસાડમાં પણ પડયા હતા.
વલસાડમાં આજે ગુરૂવારે કરણી સેના, રાજપૂત સેના અને આદિવાસી આગેવાનો તથા હિંદુ સંગઠનોએ રેલી કાઢી હતી. રેલીમાં હત્‍યારાઓને પકડી જાહેરમાં સજા આપવાની માંગણી સાથે લોકરોષ રેલીમાં ભભૂક્‍યો હતો. કરણી સેનાના એક આગેવાને જણાવ્‍યું હતું કે, રાજસ્‍થાન સરકારે 72 કલાકમાં હત્‍યારા નહી પકડાય તો રાષ્‍ટ્રવ્‍યાપી આંદોલન ચલાવાશે. રેલી શહેરી વિસ્‍તારમાં ફરી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, રેલીમાં આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા.

Related posts

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્‍મ દિવસ સેવાકિય પ્રવૃત્તિ દ્વારા ઉજવ્‍યો

vartmanpravah

Leave a Comment