July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે તાપી જિલ્લાના ખાનપુર ગામના રહેવાસી રણજીત દેવસીગ ચૌધરી, ઉંમર વર્ષ 56નું નાગવા ખાતે મૃત્‍યુ થયું હતું. આજે સવારે બસ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવ શૈક્ષણિક પ્રવાસએ પહોંચ્‍યા હતા. આવ્‍યા બાદ તેઓ નાગવા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન રણજીતભાઈ સિલ્‍વર બારમાં ગયા, જ્‍યાં અચાનક જ તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્‍યું હતું, તેને તરત જ 108 મારફતે દીવ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રણજીતભાઈનું હાર્ટ એટેકથી મોત થતા, શૈક્ષણિક પ્રવાસમાં રણજીતભાઈના પત્‍ની તથા પુત્રી પણ હતા. જેને જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ સરકારી હોસ્‍પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment