(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે તાપી જિલ્લાના ખાનપુર ગામના રહેવાસી રણજીત દેવસીગ ચૌધરી, ઉંમર વર્ષ 56નું નાગવા ખાતે મૃત્યુ થયું હતું. આજે સવારે બસ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવ શૈક્ષણિક પ્રવાસએ પહોંચ્યા હતા. આવ્યા બાદ તેઓ નાગવા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન રણજીતભાઈ સિલ્વર બારમાં ગયા, જ્યાં અચાનક જ તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું, તેને તરત જ 108 મારફતે દીવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રણજીતભાઈનું હાર્ટ એટેકથી મોત થતા, શૈક્ષણિક પ્રવાસમાં રણજીતભાઈના પત્ની તથા પુત્રી પણ હતા. જેને જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ સરકારી હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.