June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે તાપી જિલ્લાના ખાનપુર ગામના રહેવાસી રણજીત દેવસીગ ચૌધરી, ઉંમર વર્ષ 56નું નાગવા ખાતે મૃત્‍યુ થયું હતું. આજે સવારે બસ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવ શૈક્ષણિક પ્રવાસએ પહોંચ્‍યા હતા. આવ્‍યા બાદ તેઓ નાગવા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન રણજીતભાઈ સિલ્‍વર બારમાં ગયા, જ્‍યાં અચાનક જ તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્‍યું હતું, તેને તરત જ 108 મારફતે દીવ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રણજીતભાઈનું હાર્ટ એટેકથી મોત થતા, શૈક્ષણિક પ્રવાસમાં રણજીતભાઈના પત્‍ની તથા પુત્રી પણ હતા. જેને જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ સરકારી હોસ્‍પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment