April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે તાપી જિલ્લાના ખાનપુર ગામના રહેવાસી રણજીત દેવસીગ ચૌધરી, ઉંમર વર્ષ 56નું નાગવા ખાતે મૃત્‍યુ થયું હતું. આજે સવારે બસ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવ શૈક્ષણિક પ્રવાસએ પહોંચ્‍યા હતા. આવ્‍યા બાદ તેઓ નાગવા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન રણજીતભાઈ સિલ્‍વર બારમાં ગયા, જ્‍યાં અચાનક જ તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્‍યું હતું, તેને તરત જ 108 મારફતે દીવ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રણજીતભાઈનું હાર્ટ એટેકથી મોત થતા, શૈક્ષણિક પ્રવાસમાં રણજીતભાઈના પત્‍ની તથા પુત્રી પણ હતા. જેને જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ સરકારી હોસ્‍પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

Leave a Comment