Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે ફાયર સેફટીને ધ્‍યાનમાં રાખી પ્રદેશની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે રખોલી અંગ્રેજી માધ્‍યમ હાઈસ્‍કૂલપરિસરમાં આજે ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ વગેરે જેવી વિવિધ સલામતિ અંગેની ટીમો બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે એની સમજ વિદ્યાર્થીઓને મોકડ્રિલ યોજીને આપવામાં આવી હતી.
મોકડ્રિલમાં શાળા દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. સાથે જ આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી. ફાયર વિભાગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ખૂબ સુંદર રીતે મોકડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રિલનો ઉદ્દેશ્‍ય શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રતિક્રિયા-પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૃત કરવા અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.
આ અવસરે ફાયર વિભાગના અધિકારી શ્રી કાનજીભાઈ ટંડેલ, આસિસ્‍ટન્‍ટ ઓફિસર શ્રી પંકજ માહ્યાવંશી, શ્રી શૈલેષ પટેલ, શાળાના આચાર્ય શ્રીમતી અદિતિબેન પટેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

Leave a Comment